વિસાવદર શોભાવડલા ગામે ટ્રિપલ મર્ડર કેસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
વિસાવદરના શોભાવડલા ગામે ખોડીયાર માતાજીના મંદિરે સગીર નાનાભાઈએ મોટાભાઈ, સગર્ભા ભાભીની હત્યાની હત્યા કરી મૃતદેહો દાટી દેવાના કેસમાં પોલીસે પંચનામું કર્યું હતું અને એફએસએલ દ્વારા નમુના મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
શોભાવડલા (લશ્કર) ગામની સીમમાં કાના વડલાના પાટીયા પાસે ખોડીયાર માતાજી મંદિરે ગઈ તા. 16 ઓક્ટોબરના રોજ 15 વર્ષના સગીરે પ્રથમ તેના મોટાભાઈ શિવમગીરી અજયગીરી દશનામી લોખંડના પાઇપ મારી હત્યા કરી હતી અને બાદમાં સગર્ભા ભાભીને પણ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી બાદમાં બંનેની લાશ મકાનના ઢાળીયામાં ખાડો કરી દાટી દીધી હતી. આ કેસમાં પોલીસે સગીર અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર આરોપીની માતા વિભાબેનને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી હતી. સગીરે પૂછપરછમાં ભાઈની હત્યા કર્યા બાદ સગર્ભા ભાભીની હત્યા કરતા પહેલા તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની અને તેના પેટ પર ગોઠણ દબાવી 6 માસના બાળકને બહાર કાઢી નાખ્યું હોવાની કબુલાત કરી હતી.
દરમિયાન સનસનીખેજ કેસમાં એએસપી રોહિત ડાગરના માર્ગદર્શનમાં વિસાવદરના ઇન્ચાર્જ વુમન પીઆઈ એસ. એન. સોનારાએ રવિવારે તપાસનો દોર આગળ વધારી ઘટના સ્થળે પંચનામું કર્યું હતું અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ લોખંડનો પાઇપ, બંનેના મૃતદેહ દાટવા માટે ખાડો કરવા ઉપયોગમાં લીધેલ ત્રિકમ, પાવડો, તગારુ સહિતના સાધનોનો મુદ્દામાલ કબજે લીધો હતો. સગીર આરોપીએ હત્યા કર્યા બાદ મૃતકોના સળગાવેલા કપડાં સહિતની ચીજ વસ્તુઓની રાખમાંથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતોએ નમુના મેળવી પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.
ભાઈ, સગર્ભા ભાભી તથા તેના 6 માસના બાળકની હત્યા કરનાર સગીર આરોપી સામે મજબૂત પુરાવા એકત્ર કરવા તપાસ ચાલી રહી છે. કોલ્ડ બ્લડેડ મર્ડરનો કેસ હોવાથી આરોપી વિરુદ્ધ સંગીન પુરાવા એકઠા કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિંદ્રાધિન ભાઈની હત્યા કરવી એ વિશ્વાસઘાત કર્યા બરાબર છે. તેમ એએસપી રોહિત ડાગર જણાવ્યું હતું.



