ગોંડલ શહેરના મુખ્ય રાજમાર્ગો ટ્રાફિક સમસ્યાની સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે અત્રેના ઘોઘાવદર ચોક ખાતે મોવિયા ગામે ખોડિયાર મંદિર પાછળ રહેતા રતિભાઈ રવજીભાઈ રાદડિયા પોતાની છકડો રીક્ષા જી જે 3 એ એમ 1935 માં માનવ જિંદગી જોખમમાં તે રીતે આશરે 20 ફૂટના લોખંડના સળીયા ભરીને નીકળતા રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસના એ.એસ.આઇ લાભુભાઈ સોઢાતર, દશરથસિંહ વાઘેલા, વિપુલભાઈ નિમાવત સહિતનાઓએ અટકાવી ipc કલમ 283 એમ વી એકટ કલમ 177 184 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોઘાવદર ચોક, મોવિયા ચોક, પાંજરાપોળ, સરકારી દવાખાના ચોક, ગુંદાળા ચોકડી સહિતના વિસ્તારોમાં છકડો અને ઓટો રીક્ષામાં માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચીજવસ્તુઓ ભરવામાં આવી રહી હોય સાથોસાથ પેસેન્જરોને પણ વ્યાપક પ્રમાણમાં બેસાડવામાં આવતા હોય ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.