પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા આરોપીઓ ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
તાજેતરમાં જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજા, પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફના હે.કો. પ્રદીપભાઈ, રમેશભાઈ, પો.કો. માનસંગ, સંજયભાઈ, દિનેશકુમાર, તાશિફભાઈ, સહિતની ટીમ દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલા આરોપી જગદીશભાઈ ઉર્ફે જયરાજ ઉર્ફે તેરેનામ રણછોડભાઈ સોલંકી બારૈયા (ઉ,વ. 42)ની ધરપકડ મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી હતી.
- Advertisement -
ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી જગદીશભાઈ ઉર્ફે જયરાજ ઉર્ફે તેરેનામ રણછોડભાઈ સોલંકી બારૈયાની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં કોઈ ગુન્હામાં પકડાયેલા નહી હોવાનું કબુલ કરેલ હતું. આરોપી જગદીશ ઉર્ફે જયરાજ ઉર્ફે તેરેનામ રણછોડભાઈ સોલંકીની પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા તેમજ રેકર્ડ ઉપર ખાતરી કરતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી સને 2010થી આજદિન સુધી આણંદ જિલ્લાના આણંદ ટાઉન, ખંભોળજ, વિધાનગરના 4 ઘરફોડ ચોરી તેમજ વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે 2 ઘરફોડ સહિતના આશરે 6 (અડધો ડઝન) કેસમાં- ગુન્હાઓમાં પકડાયેલ હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જયરાજ ઉર્ફે તેરેનામ રણછોડભાઈ સોલંકી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો. પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, આ પકડાયેલ આરોપી રીઢો અને આંતરજિલ્લા આરોપી નીકળેલ હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપી આશરે 6 (અડધો ડઝન) વખત વડોદરા શહેર, આણંદ જિલ્લા અને અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પકડાઈ ચૂક્યો હોવાની પોલ ખોલી નાખતા આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો અને લુલો બચાવ પણ કરવા લાગેલો હતો.