વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી
નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. આ દરમિયાન તેમણે સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, અમે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. પરિસ્થિતિમાં વધુ સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. અમે યુદ્ધવિરામ અને માનવતાવાદી સહાય ચાલુ રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ગાઝામાં યુદ્ધ ખતમ કરવા માટે શાંતિ મંત્રણા ચાલી રહી છે.
- Advertisement -
કોણ કરી રહ્યું છે મધ્યસ્થી ?
જો બિડેને શું કહ્યું ?
- Advertisement -
વિગતો મુજબ શાંતિ મંત્રણા સમાપ્ત થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું, હું નકારાત્મક ટિપ્પણી કરવા નથી માંગતો પરંતુ ત્રણ દિવસ પહેલાની સરખામણીમાં યુદ્ધવિરામ ખૂબ નજીક છે. દસ મહિના સુધી ચાલેલા યુદ્ધમાં આ પહેલીવાર નથી કે, જ્યારે બિડેને કરારની આશા વ્યક્ત કરી હોય. બિડેને શુક્રવારે કહ્યું, અમારી પાસે કંઈક હોઈ શકે છે, પરંતુ અમે હજી ત્યાં નથી.