- સાબરમતી ગાંધી આશ્રમના હ્રદયકુંજની મુલાકાત લીધી
વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવાનું છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો, બાદમાં તેનું લોન્ચિંગ પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવ્યું. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.
Paying homage to all those who took part in the Dandi March under Bapu’s leadership, which began on this day in 1930.
- Advertisement -
Later today at around 10 AM, I will attend a programme to mark the inauguration of the redeveloped Kochrab Ashram, which had a very special place in Mahatma… pic.twitter.com/jQMNz8d7V3
— Narendra Modi (@narendramodi) March 12, 2024
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યાર બાદ કે કૈલાશનાથન દ્વારા સમગ્ર રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. ગાંધી આશ્રમ ખાતેના હ્રદયકુંજની મુલાકાત પણ લીધી હતી. જે અંતર્ગત અભય ઘાટ ખાતે યોજાનારી જાહેર સભામાં કુલ 28 જેટલા આધુનિક અને જુનવાણી બંને પ્રકારના ચરખા મહિલાઓ દ્વારા ચલાવવામાં આવ્યા હતા. સાબરમતી ગાંધી આશ્રમ ખાતે અભય ઘાટના મેદાનમાં યોજનારી જાહેર સભામાં ભાગ લેવા માટે ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત લોકો પહોંચ્યા હતા.
Bapu's ideals are our guiding light. The inauguration of the revamped Kochrab Ashram and launch of the Gandhi Ashram Memorial Master Plan will further his vision and inspire every Indian for generations to come.https://t.co/FH1HveI0Xg
— Narendra Modi (@narendramodi) March 12, 2024
પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે: વડાપ્રધાન મોદી
સાબરમતી આશ્રમ બાપુના મૂલ્યોને આજે પણ સજીવ કર્યા છે. પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે. આફ્રિકાથી આવ્યા બાદ પહેલા તેઓએ કોચરબ આશ્રમ બનાવ્યો હતો. કોચરબ આશ્રમ રહ્યા બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ રહેવા આવ્યા હતા. બાપુના ચરણોમાં હું નમન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. 12 માર્ચે બાપુએ સ્વતંત્રતા આંદોલનમાં દાંડી યાત્રા ઐતિહાસિક બની ગઈ. 12 માર્ચ 2022ના રોજ ગાંધી આશ્રમ ખાતેથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ કરાયો હતો. આઝાદીના અમૃત કાળમાં દેશમાં 2 લાખથી વધુ અમૃત વાટિકાઓ બની છે. સાબરમતી આશ્રમ આઝાદી સાથે વિકસિત ભારતનું પણ તીર્થ બન્યું છે. બાપુનો સાબરમતી આશ્રમ દેશની માનવ જાતની ઐતિહાસિક ધરોહર છે, પરંતુ આઝાદી બાદ ન્યાય ન થયો. 120 એકરમાં આ આશ્રમ ફેલાયો હતો અને ઓછો થતાં થતાં 5 એકરમાં થઈ ગયો. એક સમયે 63 નાના મોટા મકાનો હતા. હવે માત્ર 36 મકાનો જ છે. જેમાં માત્ર 3 મકાનોમાં જ પર્યટકો જઈ શકે છે. દુનિયામાંથી જે લોકો સાબરમતી આશ્રમ જોવા અહીંયા આવે છે તેની જાળવણી કરવાની જવાબદારી 140 કરોડ લોકોની છે.
बापू के आदर्श और उनसे जुड़े प्रेरणातीर्थ राष्ट्र निर्माण की यात्रा में हमारा निरंतर मार्गदर्शन करते रहेंगे। pic.twitter.com/LeDTGB14Yd
— Narendra Modi (@narendramodi) March 12, 2024
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આશ્રમમાં નવા મકાનો બનાવવાની જરૂર પડશે તો બનાવીશું, જુના મકાનોને તેના મૂળ સ્વરૂપમાં લાવીશું. કાશીમાં 10 વર્ષ પહેલાં શું પરિસ્થિતિ હતી તમે જાણો છો. આજે અનેક સુવિધાઓ સાથે કાશી બની ગયું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે 200 એકર જમીન મુક્ત કરાવી છે. આજે ત્યાં અનેક સુવિધાઓ કરવામાં આવી છે. 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.
Restoration of Sabarmati Ashram manifests our commitment to preserving and celebrating our rich history. The scale of the effort will leave you spellbound! pic.twitter.com/JRKNom3l8o
— Narendra Modi (@narendramodi) March 12, 2024
સ્વતંત્રતા સાથે જોડાયેલા સ્થાનોના વિકાસ માટે અભિયાન શરૂ કર્યું છે, હવે સાબરમતી આશ્રમનો વિકાસ થશે. ભાવિ પેઢી સાબરમતી આશ્રમ આવીને જોશે કે પૂજ્ય બાપુએ કેવી રીતે ચરખાનાં માધ્યમથી દેશના જન મનને ચેતનવતું કર્યું હતું. ગુજરાતમાં 9 લાખ ખેડૂત પરિવાર પ્રકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે. ખાદીની તાકાત ખૂબ વધી ગઈ છે. ખાદી માત્ર નેતાઓના પહેરવેશમાં હતી. મને પ્રસન્નતા છે કે ગામડાઓમાં મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે. સાબરમતી આશ્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવશે. હું ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહું છું કે તમે ગાઈડ કોમ્પિટીશન કરો. સ્કૂલના બાળકો ગાંધી આશ્રમમાં ઓછામાં ઓછો 1 કલાક ગાળે.
મુખ્યમંત્રી હતો ત્યારથી વિકાસ કાર્યોને હાથમાં લીધા છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધન કરતા કહ્યું હતું કે, હું આ નવા પ્રકલ્પને દેશવાસીઓને આપું છું. હું મુખ્યમંત્રી હતો ત્યારથી આ કામ હાથ પર લીધું હતું. ઘણા વિઘ્નો આવ્યા હતા. જલ્દીથી જલ્દી કામ શરૂ થાય અને પૂરું થાય તેવી આશા વ્યક્ત કરું છું. ચાલુ કાર્યક્રમમાં મોદી મોદીના નારા લાગ્યા હતા.