રાત્રિ સમયે દર્દીને આકસ્મિક સારવાર માટે લઇ જવા માટે મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
ધ્રાંગધ્રાની હળવદ હાઇવે તરફ જતા પીપળા ગામ નજીક આવેલી ફાટક રાત્રીના સમયે બંધ રહેતી હિવણના લીધે ગ્રામજનોને મુશ્કેલી પડતી હોવાની રવ ઉઠવા પામી છે. જેમાં રાત્રીના સમયે ફાટક બંધ હોવાથી કોઈ પણ સમયે ગામના કિપં વૃદ્ધ, યુવાન અથવા બીમાર દર્દીને સારવાર માટે લઈ જવા ખુબજ મુશ્કેલી પડે છે હાલમાં જ એક મહિલાને પ્રસૂતા ની પીડા થતાં રાત્રિના સમયે મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ભારે મુશ્કેલી પાડી હતી
- Advertisement -
જ્યારે રાત્રીના સમયે ફાટક સતત બંધ રહેતી હોવાથી ઇમરજન્સી સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ અને 108ની મદદ પણ ગ્રામજનોને મળતી નથી ત્યારે આ પ્રકારની તબીબી સેવા અથવા સારવાર માટે સમયનો વ્યર્થ થાય છે અને દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે સમયની ખુબજ કિંમત હોય છે જોકે રાત્રીના સમયે ફાટક બંધ રહેવાના લીધે ગ્રામજનો દ્વારા અનેક વખત રેલવે વિભાગને લેખિત રજૂઆત કરાઈ છે પરંતુ આજદિન સુધી કોઈ નિર્ણય નહીં આવતા હવે ગ્રામજનો દ્વારા ધ્રાંગધ્રા મામલતદાર ખાતે લેખિત આવેદન પત્ર આપી તાત્કાલિક નિર્ણય લઈ રાત્રીના સમયે ફાટક ખુલ્લુ રાખવા માંગ કરાઇ છે.