સોમનાથ મંદિર પાસે આખલાનો ત્રાસ
ખાસ-ખબર ન્યૂઝ સોમનાથ, તા.11
- Advertisement -
સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાંખડે છે અને દોડતા આખલાઓ છેક દૂર દૂરથી સોમનાથ દર્શન આવેલા યાત્રીકો પ્રવાસીઓને હડફેટે લે છે આમ છતાં સોમનાથ ટ્રસ્ટ કે નગરપાલિકા ઘોર બેદરકાર હોઈ તેવું લાગી રહ્યું છે. ઇજાગ્રસ્ત યાત્રિકોને ઇજાઓ સાથે દવાખાને લઈ જવાના અગાઉ ઘણા કિસ્સાઓ નોંધાયા છે. લોકોના જાનને જોખમમાં મૂકી યાત્રીકોને પરેશાન કરતા આખલાઓના ત્રાસ અંગે નિવારણ કરવા નગરપાલિકા કે સોમનાથ ટ્રસ્ટ કોઈના પેટનું પાણી હલતું જ નથી અને લોકો તથા પ્રવાસીઓમાં આથી નિરાશા થઈ છે. આજે સોમનાથ મંદિર પાસે ફેરીયાઓને હડફેટે લઈ માલ ઢોળી નાખી નુકસાન કર્યું અને મુંબઈથી સોમનાથ દર્શને આવેલા એક મહિલાને અને એક મંદિર પાસેના ફોટોગ્રાફરને વ્યવસાય કરતા ફોટોગ્રાફરને ખૂંટિયા ઓએ પછાડયા હતા જેને લીધે મુંબઈના બે યાત્રાળુઓ ને ભારે ઇજા થઇ હતી.
સોમનાથ મંદિરની આસપાસ ખૂટીયાના ત્રાસ ને નિવારવા કલેક્ટર ડી.ડી જાડેજા સાહેબની સૂચના અનુસાર અને સિટી મામલતદાર ની દેખરેખ હેઠળ નગરપાલિકા દ્વારા બે ખૂટીયા પકડી પાંજરાપોળમાં પુરાયા હતા હતા. હજુ પણ આ કામગીરી ચાલું રાખવામાં આવશે.