જૂનાં કચરાનાં નિકાલની ફેઇઝ-2ની કામગીરી એપ્રિલ-2023માં શરૂ થશે, અત્યાર સુધીમાં 75% જેટલું કામ પૂર્ણ થયું
ખુલ્લી થયેલી જમીનને સાયન્ટિફીક લેન્ડફિલ તથા ગ્રીન ફિલ્ડ તરીકે ડેવલપ કરવામાં આવશે
- Advertisement -
ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન-2.0 ચાલુ વર્ષથી લોન્ચ કરવામાં આવેલ છે. આ મિશન હેઠળ જુના કચરાનાં નિકાલને ખાસ મહત્વ આપવામાં આવેલ છે અને તે મિશન અંતર્ગત ખાસ 41% શેરની સ્વચ્છ ભારત મિશન-2નાં બજેટમાં જોગવાઈ થયેલ છે અને બાકીના 59% ખર્ચની જોગવાઈ 15માં નાણાપંચ બજેટ હેડ હેઠળ થયેલ છે. આ જોગવાઈ અન્વયે દ્વિતીય ફેઈઝ્ની કામગીરી હાથ પર લેવામાં આવેલ છે. આ કામગીરી માટેની જરૂરી ટેન્ડર પ્રકિયા પુર્ણ થયેલ છે તેમજ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુરી આપી દેવામાં આવેલ છે. આ કામગીરી માટે 2(બે) એજન્સીઓને 3-3 લાખ મે.ટન મળી કુલ છ લાખ મે.ટન વેસ્ટ પ્રોસેસીંગ માટે પ્લાન્ટ સેટઅપ વર્ક-ઓર્ડર ઇશ્યુ કરી દેવામાં આવેલ છે. પ્લાન્ટ સેટઅપની કામગીરી આશરે બે મહિનામાં પૂર્ણ થયે આ ફેઇઝ-2ની આ કામગીરી એપ્રિલ-2023 થી શરૂ કરવામાં આવશે.
રાજકોટ શહેરમાંથી ઉત્પન્ન થતાં ઘન કચરાનો નિકાલ કરવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નાકરાવાડી સર્વે નં.222/પી ખાતે કરવામાં આવે છે. આ જમા થતા જથ્થાનો પ્રથમ ફેઇઝમાં ચાર લાખ મેટ્રિક ટનના નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 75% જેટલું કામ પુર્ણ થયેલ છે જયારે દ્વિતીય ફેઈઝ્માં છ લાખ મેટ્રિક ટન જુના કચરાનાં નિકાલ કરવાની કામગીરી આગામી 2 માસમાં ચાલુ થશે.
ઉકત કામગીરી પુર્ણ થવાથી શહેરમાં તેમજ નાકરાવાડી આજુબાજુની જમીન, પાણી અને વાતાવરણ પ્રદુષિત થતુ અટકશે તેમજ વધારામાં નાકારવાડી ખાતે વેસ્ટથી રોકાયેલ આશરે 25 એકર જમીન ખુલ્લી થશે. આ ખુલ્લી થયેલી જમીનનો સાયન્ટીફીક લેન્ડફીલ તથા ગ્રીન ફિલ્ડ તરીકે ડેવલપ કરવામાં આવશે.