ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ શહેરમાં આજ રોજ વેહલી સવારથી પીજીવીસીએલ કચેરી ખાતેથી અધિક્ષક ઈજનેર એસ.એચ. રાઠોડ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓફિસર અમનભાઈ રાઠોડ દ્વારા ઉર્જા બચાવ રેલીનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી વીજ કચેરીથી પ્રસ્થાન થઇ હતી જેમાં ટ્રેકટર, કાર અને બાઈક સહીત વીજ કર્મચારીઓ હાથમાં પ્લે કાર્ડ સાથે જોડાયા હતા અને આ ઉર્જા બચાવ રેલી ભવનાથ તળેટી ખાતે સંપન્ન થઇ હતી જેમાં વીજળી બચાવો અને દેશ બચાવવાનો સંદેશ આપીને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.જયારે આ રેલીમાં પીજીવીસીએલના કર્મચારીઓ બોહળી સંખ્યામાં જોડાયા હતા અને આ રેલીને સફળ બનાવવા શહેર કાર્યપાલક ઈજનેર પી.બી.માણાવદરીયા અને રૂલર કાર્યપાલક ઇજનેર મુકેશ ગણાત્રા દ્વારા જેહમત ઉઠાવી હતી અને લોકોને ઉર્જા બચાવ અંગે જનજાગૃતિ ફેલાવી હતી.
જૂનાગઢ શહેરમાં PGVCL દ્વારા ઊર્જા બચાવ ભવ્ય રેલી યોજાય, કાર બાઈક સાથે ઉર્જા બચાવનો સંદેશ
