ગ્રામજનોએ કલકેટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં જઇ આવેદન આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ઝાલણસર ગામમાં આવેલ સર્વે નં.321ની સરકારી પડતર જમીન માધવ ગૌશાળા ટ્રસ્ટને આપવા માટે ચાર વર્ષ પૂર્વે અરજી કરેલ હતી. તે બાબતે તમામ કાગળો પણ રજુ કર્યા હતા. છતા આજ દિવસ સુધી તેનુ કોઇ નિરાકરણ નહીં આવતા સરપંચ સહિત ગ્રામજનોએ કલકેટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આ બાબતે રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટમાંથી જે હુકમ આવેલ હતો તેનું પણ કોઇ નિરાકરણ આવેલ નથી. ગ્રામજનોને સલામતીની દ્રષ્ટીએ પોલીસ દ્વારા ઘટતુ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.