કચ્છમાં હત્યાના કેસમાં પોલીસ તપાસ સામે પ્રશ્ર્ન: રેન્જ IG, SP સહિતના ઉચ્ચ અધિકારીને હાજર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસની કામગીરીની અવારનવાર થતી ટીકા વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કચ્છમાં હત્યાના એક કેસમાં કચ્છ રેન્જના આઈ.જી.-કચ્છ પુર્વના એસપી તથા એક તમામ અધિકારી પીઆઈને અદાલતમાં હાજર થવા આપેલા આદેશ બાદ તેમની હાજરીમાં અત્યંત આકરી ભાષામાં કહ્યું હતું કે એ નિશ્ર્ચિત કરવું જોઈએ કે સામાન્ય લોકોને વિશ્વાસ પોલીસમાં ધ્રુજી ઉઠે તેવું થવું જોઈએ નહી પણ વધુ મજબૂત બને તે જોવાવુ જોઈએ. કચ્છના એક હત્યાના કેસમાં પોલીસ તપાસમાં ‘આરોપી’ તરીકે જેની સામે તપાસ ચાલુ છે.
- Advertisement -
તેણે ધરપકડ સામે આગોતરા જામીન અરજી પરની સુનાવણી સમયે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈએ વ્યકત કર્યુ હતું. અદાલતના આદેશથી કચ્છ રેન્જના આઈજી જે.આર.મોથાલીયા, એસ.પી. કચ્છ (પુર્વ) મહેન્દ્ર બગડીયા અને તપાસ અધિકારી તથા લાકડીયાના પી.આઈ. આર.આર.વસાવા હાજર રહ્યા હતા. ન્યાયમૂર્તિએ ખાસ કરીને તપાસ અધિકારી અને લાકડીયાના પીઆઈ વસાવા દ્વારા તમામ ઉપલબ્ધ પુરાવા રેકોર્ડ પર નહી મુકવા તથા તેના આધારે ચોકકસ એંગલ પર વધુ તપાસ નહી કરવાના વલણની આકરી ટીકા કરી હતી.
ન્યાયમૂર્તિએ જણાવ્યું કે જયારે હત્યાના કેસમાં કોઈ વ્યક્તિ જેલમાં જઈ શકતો હોય તો આવો કેઝયુઅલ- અભિગમ ચાલી શકે નહી. આ તકે સરકારી ધારાશાસ્ત્રી મિતેશ અમને પોલીસ તપાસનો બચાવ કરવા પ્રયત્ન કર્યો હતો અને વધુ તપાસ માટે થોડો સમય આપવા પણ વિનંતી કરી હતી. જસ્ટીસ દેસાઈએ તેના પરથી તા.10 જુલાઈ સુધી સુનામી મુલત્વી રાખી હતી. હાઈકોર્ટ સમક્ષ માહિતી અપાઈ હતી કે હવે ડીજીપી મુદે આ ઈસ્યુની તપાસ કરી છે છતાં ન્યાયમૂર્તિએ પોલીસ જે રીતે અભિગમ અપનાવી રહી છે તેના પર અસંતોષ વ્યક્ત કર્યો હતો