સૂર્યદેવે 22 જૂનને નક્ષત્ર પરિવર્તન કર્યું છે. સૂર્ય ગોચરની જેમ જ નક્ષત્ર પરિવર્તન પણ પ્રભાવિત કરે છે. સૂર્ય હાલ આર્દ્રા નક્ષત્રમાં છે. તે 6 જુલાઈ સુધી આ નક્ષત્રમાં રહેશે. આ સમયે 3 રાશિઓ પર તેમની કૃપા રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય જ્યારે આર્દ્રા નક્ષત્રમાં હોય છે તે શુભ ફળ આપે છે. આ સમયે મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી દરેક મનોકામના પુરી થાય છે.
- Advertisement -
મિથુન
આર્દ્રા નક્ષત્રમાં સૂર્ય મિથુન રાશિના લોકોને લાભ આપશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળવાના ચાન્સ છે. ઓફિસમાં માન-સન્માન વધશે. તમામ કામ પૂર્ણ થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સારો સમય છે. મનોબળ મજબૂત રહેશે. તમને સમસ્યામાંથી છુટકારો મળશે. સ્થાન પરિવર્તન થવાની સંભાવના છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે. જુલાઈના પહેલા સપ્તાહમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી-ધંધામાં સફળતા મળશે. સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થશે. નજીકના વ્યક્તિ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ કામ પાર પાડી શકશો.
સિંહ
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખુશીઓ લાવશે. અટકેલા કામ હવે ઝડપી બનશે. તમને ધન અને પ્રતિષ્ઠા મળશે. ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. નવું વાહન ખરીદવા માટે સારો સમય છે. રોકાણમાં પણ ફાયદો થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પરિણામ તમારી તરફેણમાં આવશે. પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળવાની સંભાવના છે.