રોડની બને બાજુ રેંકડી ખડકી દેવાથી માર્ગ પર સતત ટ્રાફિકજામની સમસ્યા
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવે છે અને બીજી તરફ વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં દબાણ અને ગંદકીથી નગરજનો પરેશાન થઈ રહયા છે ત્યારે સરકારી અધિકારીઓ કે દ્વારકાનાં શાસકોને શુ આ સમસ્યા દેખાતી નથી તેવી સ્થિતિ ઉભી થઈ છે.
યાત્રાધામ દ્વારકામાં શાકમાર્કેટ પાછળ આવેલા વિસ્તારમાં રોડની બને બાજુ રેંકડી ખડકી દેવાથી માર્ગ પર સતત ટ્રાફિકજામની સમસ્યા રોજની રહે છે. આ ઉપરાંત શાકમાર્કેટની બાજુમા જાહેર રાજમાર્ગ ઉપર ગેરકાયદેસર રેકડી ખડકી દેતા સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આવવા જવાનો રસ્તો બ્લોક થઈ જાય છે. તેમજ વધારામા સડેલા શાકભાજી ત્યાજ ફેકતા હોવાના કારણે દુર્ગધ રહેણાક વિસ્તાર સુધી ફેલાય છે. દ્વારકા નગરપાલીકામા ચિફ અધીકારીને અનેક વખત રજુઆતો કરી છે છતા ચિફઅધીકારી આ બાબતે ધ્યાન આપતા નથી અને દ્વારકા પોલીસને પણ આ ટ્રાફિક સમસ્યા અંગે જાણ કરવામાં આવી છે છતાં અત્યાર સુધીમાં કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે તાકીદે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી વિસ્તારના રહેવાસી દિનેશભાઈ ગોપાલદાસ ચંદારાણા સહિતના લોકોએ માંગ કરી છે.