5 જૂન 2020: ભારત સરકારે ત્રણ કૃષિ બિલ સંસદના ટેબલ પર લાવ્યા.
14 સપ્ટેમ્બર 2020: સંસદમાં વટહુકમ રજૂ કરવામાં આવ્યો.
17 સપ્ટેમ્બર 2020: વટહુકમને લોકસભામાંથી મંજૂરી મળી.
20 સપ્ટેમ્બર 2020: તે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પણ પસાર કરવામાં આવ્યું હતું.
24 સપ્ટેમ્બર 2020: પંજાબના ખેડૂતોએ ત્રણ દિવસ સુધી રેલ રોકો આંદોલન કર્યું.
25 સપ્ટેમ્બર 2020: અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિના બેનર હેઠળ દેશભરના ખેડૂતોએ દેખાવો શરૂ કર્યા.
27 સપ્ટેમ્બર 2020: કૃષિ કાયદાને રાષ્ટ્રપતિની સંમતિ મળી અને ગેઝેટમાં પ્રકાશિત થયા કાયદા
25 નવેમ્બર 2020: રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ થયું. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ‘દિલ્હી ચલો’ના નારા આપ્યા હતા.
26 નવેમ્બર 2020: અંબાલામાં દિલ્હી આવતા ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સરહદો સીલ, દિલ્હી પોલીસે સંગઠનોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની મંજૂરી આપી.
28 નવેમ્બર 2020: ગૃહ પ્રધાન અમિત શાહે ખેડૂતોને દિલ્હીની સરહદો ખાલી કરવાને બદલે વાટાઘાટો કરવા આમંત્રણ આપ્યું.
29 નવેમ્બર 2020: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં આ કાયદાઓ અને તેમની સરકારને કૃષિ અને ખેડૂત મૈત્રીપૂર્ણ ગણાવી હતી.
3 ડિસેમ્બર 2020: પ્રથમ વખત સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક થઈ, પરંતુ નિરર્થક રહી.
5 ડિસેમ્બર 2020: મંત્રણાનો બીજો રાઉન્ડ પણ અનિર્ણિત રહ્યો.
8 ડિસેમ્બર 2020: ખેડૂતોએ ભારત બંધનું આયોજન કર્યું.
11 ડિસેમ્બર 2020: ભારતીય કિસાન સંઘે ત્રણેય કૃષિ કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા.
13 ડિસેમ્બર 2020: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂતોના આંદોલન પાછળ ટુકડે ટુકડે ગેંગનું કાવતરું ગણાવ્યું.
ત્રણ નવા કૃષિ કાયદા શું હતા?
- Advertisement -
1 કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય કાયદો, 2020 (ધ ફાર્મર્સ પ્રોડયૂસ ટ્રેડ એન્ડ કોમર્સ કાયદો)
આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ હતી જેમાં ખેડૂતો-વેપારીઓને રાજ્યની અઙખઈની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હતી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોકટોક વિના વેચાણની વાતને ઉત્તેજન અપાયું હતું. તેમજ બિલમાં માર્કેટિંગ અને ટ્રાસ્પોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ હતી એટલું જ નહીં ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની વાત હતી.
ખેડૂતોને આ વાતનો ડર હતો કે…
- Advertisement -
એપીએમસી માર્કેટ જ રદ થઇ જશે અથવા તેનું મહત્વ ઘટી જશે. આમ થવાથી ટેકાના ભાવ પણ ધીરે ધીરે નાબુદ થઇ જશે તો સાવ સસ્તા ભાવે અમારે પાક વેચવો પડશે અને તેનાથી રોકાણના નાણા પણ નહીં મેળવી શકીએ.
2 કૃષિક સશક્તિકરણ અને સંરક્ષણ કાયદો, 2020 (ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ)
આ કાયદામાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગનો ઉલ્લેખ કરાયો હતો, કોન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ હતી, ખેડૂત મોટા છૂટક વિક્રેતાઓ સાથે કોન્ટ્રેક્ટ કરીને નિયત કિંમત પર પાક વેચી શકે, તેમજ 5 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કોન્ટ્રેક્ટથી લાભ મેળવી શકે. આ કાયદામાં બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના બદલે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનાર આયોજક પર હતો. ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાની વાત હતી. ખેડૂતો મધ્યસ્થીને હટાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે, એટલુંજ નહીં વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં તંત્રને સ્થાપિત કરવાની વાત હતી..
ખેડૂતોને આ વાતનો ડર હતો કે…
આ કાયદા મુજબ જો કંપનીઓ કોન્ટ્રાક્ટ રદ કરી દે તો તેવી સ્થિતિમાં કલેક્ટર સુધી જ ફરિયાદની સત્તા ખેડૂતોને અપાઇ છે. એટલે કે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ નુકસાન ખેડૂતોને જ છે અને તેમને કોન્ટ્રાક્ટ બાદ કાયદાકીય રીતે કોઇ જ સુરક્ષા નથી આપવામાં આવી. આ ઉપરાંત આ કાયદાથી કોર્પોરેટ સેક્ટરને ઉઘાડી લૂંટ ચલાવવાનો પરવાનો મળી જશે.
3 આવશ્યક વસ્તુ (સંશોધન)
કાયદો, 2020 (ધ એસેન્સિયલ કોમોડિટી એક્ટ)
આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી, બટાકાને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવાયા હતા, યુદ્ધ જેવી અસાધારણ સ્થિતિને બાદ કરતાં ગમે તેટલો સ્ટોક રાખી શકતા હતા. કૃષિ ઇન્ફ્રા.માં રોકાણ વધવાનો દાવો કરાયો હતો. કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણનો દાવો કરાયો હતો. વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદનો દાવો હતો. તેમજ બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડાનો દાવો પણ કરાયો હતો.
શું કહ્યું બોલીવૂડ કલાકારોએ ?
કંગનાએ કહ્યું, દુ:ખદ, શરમજનક…
કંગનાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પર નારાજગી અને નિરાશા વ્યક્ત કરતા લખ્યું છે. કંગનાએ લખ્યું, ‘દુ:ખદ, શરમજનક અને બિલકુલ ખોટું… જો સંસદમાં બેઠેલી સરકારને બદલે, રસ્તા પર બેઠેલા લોકો કાયદો બનાવવા લાગે, તો આ પણ જેહાદી દેશ છે… જેઓ આ ઈચ્છે છે તેમને અભિનંદન.’
સોનુ સૂદે લખ્યું, ધન્યવાદ નરેન્દ્ર મોદીજી…
ત્રણેય કૃષિ કાયદાઓની વાપસીને આવકારતા બોલીવુડ અભિનેતા સોનુ સૂદે લખ્યું, ’ખેડૂતો તેમના ખેતરોમાં પાછા આવશે, દેશના ખેતરો ફરી લહેરાશે. ધન્યવાદ નરેન્દ્ર મોદીજી, આ ઐતિહાસિક નિર્ણયને કારણે પૂર્વના ખેડૂતોનો પ્રકાશ વધુ ઐતિહાસિક બન્યો છે. જય જવાન જય કિસાન.’
તાપસી પન્નુનું ખેડૂત આંદોલનને સમર્થન
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પણ કૃષિ કાયદા પરત આવવા પર ખુશી વ્યક્ત કરી છે. તાપસી ભૂતકાળમાં પણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપી રહી છે.
પંજાબી ફિલ્મ અભિનેત્રી હિમાંશીએ ખુશી વ્યકત કરી
પંજાબી ફિલ્મ અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક હિમાંશી ખુરાનાએ પણ કૃષિ કાયદાઓ પરત આવવા પર ખુશી વ્યક્ત કરી છે. હિમાંશીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ’આખરે જીત તમારી છે. તમામ ખેડૂત ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની મોટી ભેટ. ગુરુપૂર્વની શુભકામના.’