વિશ્ર્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની સહિતની સંસ્થાઓના 70 જેટલા આગેવાનો રહ્યા ઉપસ્થિત
ખાસ-ખબર સંવાદદાતા
જન્માષ્ટમીના તહેવારને લઈને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે પીઆઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહીની સહિતની સંસ્થાઓના 70 જેટલા આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ જાડેજાના અધ્યક્ષસ્થાને આગામી જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોને પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવાય તેવી અપીલ કરી હતી અને સાથે સાથે આગેવાનોએ પણ ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.