અમદાવાદ-68, વડોદરા-29, સુરત-27, રાજકોટ-23, મોરબી-11 નવા કેસ: વધુ 349 દર્દીઓ સ્વસ્થ
ગત માર્ચ માસના મધ્યાહન બાદ કોરોના કેસમાં ઉછાળો નોંધાયા બાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ફરી કેસમાં થોડો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 231 પોઝીટીવ કેસ સામે 349 દર્દીઓ સ્વસ્થ થયા છે.
- Advertisement -
એકપણ દર્દીનું મોત નોંધાયું નથી. આરોગ્ય વિભાગના દૈનિક બુલેટીનનાં સતાવાર આંક મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-68, વડોદરા-29, સુરત-27, રાજકોટ-23, સાબરકાંઠા-14, ભરૂચ-13, ગાંધીનગર-12, મોરબી-11, વલસાડ-6, અમરેલી-આણંદ 5/5, કચ્છ-સુરેન્દ્રનગર 4/4, બનાસકાંઠા- પંચમહાલ 3/3, પોરબંદર-2, મહેસાણા-નવસારી 1/1 સહિત નવા 231 પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલ રાજયમાં 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2204 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલના દિવસોમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી રાહત જોવા મળી છે.