-વડાપ્રધાન મોદી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓની સાથે મીટીંગ કરશે
સંસદનું શિયાળુ સત્ર સમય પહેલા જ પૂર્ણ થઇ ગયું. હવે બજેટને લઇને સામાન્ય લોકો વચ્ચે ચર્ચા શરૂ ઇ ગઇ છે. સામાન્ય લોકો બજેટની રાહ જોઇ રહ્યા છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ બજેટનું સત્ર વર્ષ 2023માં 66 દિવસ સુધી સંસદ સત્ર ચાલશે, જેમાં 27 બેઠક યોજાશે. આ વચ્ચે બજેટ સત્રમાં 14 ફેબ્રુઆરીથી 12માર્ચ સુધીનો સમયગાળો રહેશે. લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી બજેટ સત્રની શરૂઆત થશે. પહેલીવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ બંન્ને સાંસદોને સંબોધન કરશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રના પહેલા દિવસે બંન્ને સદનમાં ઇકોનોમિક સર્વ રજુ કરવામાં આવશે. ત્યાર પછી 1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિર્મલા સિતારમનસંસદમાં સામાન્ય બજેટ 23023-24 રજુ કરશે. સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બર 2022થી 29 ડિસેમ્બર 2022 સુધી ચાલ્યું હતું, પરંતુ સતત વિરોધના પગલે તાત્કાલિક ધોરણે સ્થગીત કરવામાં આવયું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓની સાથે મુલાકાત કરી હતી.
Budget Session 2023 to begin January 31, continue till April 6
Read @ANI Story | https://t.co/86TPQAuUgo#BudgetSession #ModiGovernment #BudgetSessionOfParliament #ParliamentaryAffairs #UnionBudget pic.twitter.com/YtedUGrBKs
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 13, 2023
બજેટ સત્ર 2023માં કુલ 27 બેઠક યોજાશે- પ્રહ્લાદ જોશી
સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ શુક્રવારના પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, બજેટ સત્ર 2023ના સંસદના કાર્યવાહી 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ કાર્યવાહી 6 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમ્યાન 27 બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ સત્ર લગભગ 66 દિવસ ચાલશે. અમૃતકાળ મહોત્સવની વચ્ચે આયોજીત આ સત્રમાં મંત્રી પ્રહ્લાદ જોશીએ રાષ્ટ્રપતિના અભિભાષણ, કેન્દ્રિય બજંટ અને બીજા મુદા પર સાર્થક ચર્ચા કરવાની આશા વ્યક્ત કરી હતી.
Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0
— Pralhad Joshi (@JoshiPralhad) January 13, 2023
બજેટ સત્ર 2023માં 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ચકાસણીનો સમયગાળો રહેશે, જેથી વિભાગ સંબંધિત સંસદની સ્થાયી સમિતિઓની માંગણીની આધારે તપાસ કરી શકે અને પોતાના મંત્રાલયો અને વિભાગોથી સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકશે.
1 ફેબ્રુઆરીના સામાન્ય બજેટ રજુ થશે
સંસદમાં 1 ફેબ્રુઆરી 2023ના કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સિતારમન સામાન્ય બજેટ રજુ કરશે. સામાન્ય બજેટનો પહેલો ભાગ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર પછી 13 માર્ચથી બીજો ભાગ શરૂ થશે.
Prime Minister Narendra Modi holds a meeting with economists at NITI Aayog; Union Finance Minister Nirmala Sitharaman also present
PM will seek their opinions and suggestions as well as assess the state of the Indian economy and its challenges, ahead of the Union Budget. pic.twitter.com/SXFUOGbZZe
— ANI (@ANI) January 13, 2023
વડાપ્રધાન મોદી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓની સાથે મીટીંગ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગમાં અર્થ શાસ્ત્રીઓની સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સિતારમન પણ હાજર રહેશે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રિય બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓની સલાહ અને સુચનની સાથે-સાથે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અને તેમના પડકારો વિશે ચકાસણી કરશે.