-નહેરુ-આંબેડકર પણ દિલ્હીને પુર્ણ રાજયના વિરોધી હતા: કોંગ્રેસને પણ ઝપટમાં લીધી
સંસદના ચોમાસુ સત્રમાં 11માં દિવસે આજે ધાંધલ ધમાલ શાંત થઈ હતી અને અધ્યક્ષ ઓમ બિરલા પણ ફરી તેમના આસન પર બેસી ગયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે દિલ્હી ઓથોરીટી ખરડા પર વિપક્ષોના વિરોધને આડે હાથે લેતા આમ આદમી પાર્ટીના વડા તથા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ પ્રહારો કર્યા હતા.
- Advertisement -
અમિત શાહે જણાવ્યું કે, આજે કોંગ્રેસ ગઠબંધનના કારણે જ આ ખરડાનો વિરોધ કરે છે પણ તેમના જ સ્વ. નેતા પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીને પૂર્ણ રાજય બનાવ્યું ન હતું. અમિત શાહે જણાવ્યું કે દિલ્હીની જે રીતે દેશના પાટનગર તરીકેની ખાસ સ્થિતિ છે તેથી કેન્દ્રની સરકારને દિલ્હી કાનૂન બનાવવાનો અધિકાર છે પણ દિલ્હીના શાસક આમ આદમી પાર્ટીને લોકોની ચિંતા નથી પણ તેઓએ I.N.D.I.A. પર પ્રહાર કરતા કહ્યું કે, ગઠબંધન નવી દિલ્હીની જનતાનો વિચાર કરવો જોઈએ.
Lok Sabha passes bill to replace ordinance for control of services in Delhi, Amit Shah targets INDIA alliance
Read @ANI Story | https://t.co/MfmFgicq89#AmitShah #LokSabha #INDIA #DelhiOrdinance #MonsoonSession #Parliament pic.twitter.com/wYipRQBE90
- Advertisement -
— ANI Digital (@ani_digital) August 3, 2023
અમિત શાહે આકરા પ્રહારમાં જણાવ્યું કે મુખ્યમંત્રી તેમના ભવ્ય આવાસનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરે છે. દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો મનપસંદ ભાગ આગળ ધરે છે પણ ફકત સુપ્રીમે જ નહી પંડિત જવાહરલાલ નહેરુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. બી.આર.આંબેડકરએ પણ દિલ્હીને પુર્ણ રાજયના દરજજાનો વિરોધ કર્યો હતો.