બાઇક રેલી અને વિશાળ જનસંખ્યામાં શોભાયાત્રા નીકળશે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 3 મેનાં રોજ પરશુરામ જયંતિ હોય જેની શાનદાર ઉજવણી માટે જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પરશુરામ જયંતિની શાનદાર ઉજવણી કરવા અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. કોરોના કાળનાં બે વર્ષ બાદ યોજાઇ રહેલી શોભાયાત્રાને લઇ ભુદેવોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ શોભાયાત્રા અખિલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ મુકતાનંદબાપુનાં પ્રમુખ સ્થાને યોજાશે. જેમા સૌ પ્રથમ ભગવાન પરશુરામ દાદાનો રથ રહેશે. બાદમાં મુકતાનંદબાપુનો રથ રહેશે. આ ઉપરાંત જયંતિની પુર્વ સંધ્યાએ તા. 2 મેનાં રોજ શહેરનાં મુખ્ય માર્ગો પર બાઇક રેલી નિકળશે. આ શોભાયાત્રા તળાવ દરવાજા સ્થિત જાગનાથ મંદિરેથી પ્રસ્થાન કરશે ત્યાંથી આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક, સરદાર ચોક થઇ ભુતનાથ મહાદેવ મંદિરે સંપન્ન થશે. શોભાયાત્રાનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે.
- Advertisement -
જયદેવભાઇ જોષીએ કહ્યું હતું કે,આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભુદેવો જોડાશે. અને તેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. કાર્તિકભાઇ ઠાકરે કહ્યું હતું કે, તા. 1 એપ્રિલથી જૂનાગઢનાં જુદા જુદા વિસ્તારમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં કે.ડી. પંડ્યા, મનોજભાઇ જોષી, હસુભાઇ જોષી, મુકેશભાઇ મહેતા, ભરતભાઇ લાખલાણી, વિશાલભાઇ જોષી, અશોકભાઇ ભટ્ટ, રૂપલબેન લખલાણી સહિતનાં હાજર રહ્યાં હતાં.