By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    17 hours ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    20 hours ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    20 hours ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    20 hours ago
    પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વેપાર મંત્રણા અને ભારત-પાક. યુદ્ધવિરામ વચ્ચે સંબંધ નહીં: જયશંકર
    16 hours ago
    કોલકાતા ગેંગરેપ: 3 આરોપીઓની કસ્ટડી 8મી સુધી લંબાવાઈ
    16 hours ago
    વિદેશી ભારતીયોએ રેકોર્ડબ્રેક 11600 અબજ વતનમાં મોકલ્યા
    16 hours ago
    ક્વાડ દેશો ભારતની સાથે, પહલગામ હુમલાને વખોડ્યો
    16 hours ago
    હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    19 hours ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    2 days ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    3 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    3 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    19 hours ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    2 days ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    3 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    5 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    21 hours ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    6 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    6 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 days ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતવર્ષના મહાન સંતો પૈકીના એક પરમહંસ યોગાનંદજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ભારતવર્ષના મહાન સંતો પૈકીના એક પરમહંસ યોગાનંદજી
Kinnar Acharyaધર્મ

ભારતવર્ષના મહાન સંતો પૈકીના એક પરમહંસ યોગાનંદજી

Khaskhabar Editor
Last updated: 2022/05/21 at 5:34 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

વીસમી સદીનાં એક મહાન આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત જેમણે પોતાના જીવન પર્યંત વિશ્ર્વભરમાં ક્રિયાયોગનો પ્રચાર-પ્રસાર કર્યો હતા

- Advertisement -

સ્વામી પરમહંસ દ્વારા વાયએસએસ નામક આધ્યાત્મિક સંસ્થાનો પાયો પશ્ચિમ બંગાળનાં દિહિકામાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાંચી સહિત પૂરા ભારત અને સમસ્ત વિશ્વમાં અને ખાસ તો યોગદા સત્સંગનું મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમેરિકાનાં લોસ એન્જલસમાં નાખવામાં આવ્યું

ગોરખપુર ખાતે જન્મેલા પરમહંસ યોગાનંદ વીસમી સદીનાં એક મહાન આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત છે જેમણે પોતાના જીવન પર્યત વિશ્વભરમાં ક્રિયાયોગનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. પોતાની આત્મકથા ‘યોગી કથામૃત’ તથા સ્વય લિખિત પુસ્તકો, પ્રવચનો અને શિક્ષા દ્વારા પરમહંસ યોગાનંદે ક્રિયાયોગ દ્વારા ઈશ્વર સાક્ષાત્કાર અને જીવન જીવવાની વિધિઓની ભેટ આપણે સૌને આપી છે. આ સાથે જ આજથી એક સદી પૂર્વે ઈ.સ. 1917માં પરમહંસ યોગાનંદે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈંડિયાની સ્થાપના કરી હતી. વાયએસએસનાં નામથી જાણીતી આ સંસ્થા શૈક્ષણિક સંકુલો, સ્વાસ્થ કેન્દ્રોમાં સેવા કાર્ય સિવાય સામાજિક જવાબદારીનાં ભાગરૂપે અસરગ્રસ્ત લોકો માટે સહાય કાર્ય કરે છે. મહાવતાર બાબાજીથી લાહિડી મહાશય અને તેમનાથી યુક્તેશ્વરજીથી પરમહંસ યોગાનંદને મળેલા ક્રિયાયોગનાં દિવ્ય વારસા સમા આધ્યાત્મિક ખજાનાનો વાયએસએસ સંસ્થામાંથી આજે કરોડો લોકો લાભ લઈ પોતાનું જીવન પરિવર્તિત કરી રહ્યા છે. જેમાં પરમહંસ યોગાનંદની આત્મકથા ‘યોગી કથામૃત’નો ફાળો સવિશેષ છે. સ્વામી પરમહંસ દ્વારા વાયએસએસ નામક આધ્યાત્મિક સંસ્થાનો પાયો પશ્ચિમ બંગાળનાં દિહિકામાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાંચી સહિત પૂરા ભારત અને સમસ્ત વિશ્વમાં અને ખાસ તો યોગદા સત્સંગનું મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમેરિકાનાં લોસ એન્જલસમાં નાખવામાં આવ્યું. પશ્ચિમનાં દેશોમાં યોગદા સત્સંગ ‘સેલ્ફ રિયલાઈજેશન ફેલોશિપ’ એસઆરએફ નામથી ભારતીય યોગ અને અધ્યાત્મની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે શિક્ષા આપે છે. જ્યારે કલકત્તા સ્થિત દક્ષિણેશ્વર આશ્રમનાં મુખ્ય કેન્દ્ર મારફત ભારત, નેપાળ, શ્રીલંકામાં ક્રિયાયોગ દ્વારા પ્રાણાયામની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે શિક્ષા આપવામાં આવે છે. ભારતમાં મુખ્ય રાંચી, નોયડા, દ્વારહાટ, જગતપુરી આશ્રમ સહિત 200થી વધુ ધ્યાન કેન્દ્રો ધરાવતી યોગદા સત્સંગ સોસાયટીનાં ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, બરોડા જેવા મુખ્ય શહેરોમાં ધ્યાન કેન્દ્રો કાર્યરત છે. દેશ-દુનિયામાં યોગ વિશેની જાગૃતતા છેલ્લાં બે-પાંચ વર્ષમાં ફેલાઈ છે જ્યારે પરમહંસ યોગાનંદ અને તેમની સંસ્થા 125 વર્ષોથી ભારતીય યોગ પરંપરાનું મહત્વ અને જરૂરિયાત નિસ્વાર્થભાવે નિષ્ઠાપૂર્વક જણાવી રહ્યા છે.

 

- Advertisement -

પરમહંસ યોગાનંદજીએ પાર્થિવ શરીરનો ત્યાગ કરીને મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો

ઈ.સ. 1920માં અમેરિકાનાં બોસ્ટનમાં આયોજીત ઈંટરનેશનલ કોંગ્રેસ ઓફ રિલિજીયસ લીબ્રલ્સને સંબોધિત કરી પરમહંસ યોગાનંદે દુનિયાને ભારતનાં ધર્મ, અધ્યાત્મ અને દર્શનથી પરિચિત કરાવ્યા. તેઓનાં આજથી એક સદી પૂર્વે કરેલા સંબોધન ધ્યાનમાં લઈ વર્તમાન સમયમાં વિશ્વ બંધુત્વ, ભાઈચારા અને માનવતાની સ્થાપનામાં યોગની જરૂરિયાતનું મહત્વ સમજીને સંયુક્ત રાષ્ટ્ર સંઘએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા કરેલી છે. ‘પ્રેમાવતાર’ તરીકેનું બિરુદ મેળવનાર સ્વામી યોગાનંદે દુનિયાને આપેલી ધ્યાન અને યોગ ક્રિયાનું અનુસરણ આજે વિશ્વભરમાં થઈ રહ્યું છે. પરમહંસ યોગાનંદ સ્થાપિત વાયએસએસનાં ધ્યાન કેન્દ્રો શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે ધ્યાનનું મહત્વ અને ફાયદાઓનો ફેલાવો કરી રહ્યા છે. સ્વામી યોગાનંદે પોતાના જીવન દરમિયાન એક લાખથી વધુ લોકોને ક્રિયા યોગની શિક્ષા આપેલી છે. જેમનું એ કાર્ય આજે તેમના દ્વારા સ્થાપિત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. પતંજલિનાં અષ્ટાંગ યોગનાં આઠ યોગને ક્રમશ: યમ અર્થાત નૈતિક સદાચાર, નિયમ અર્થાત ધર્માચરણ, આસન અર્થાત શરીરની ઉચિત સ્થિતિ, પ્રાણાયામ અર્થાત પ્રાણ નિયંત્રણ, પ્રત્યાહાર અર્થાત ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી વિમુખ કરી આંતરિક દિશામાં લઈ જવી, ધારણા અર્થાત એકાગ્રતા અને ધ્યાન, સમાધિ અર્થાત પરાચૈતન્યનો અનુભવ એ યોગની મુખ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ છે. યોગના આ આઠ માર્ગમાં ઈશ્વરાભૂતિનો સાક્ષાત્કાર કરાવનાર માનવતાની સેવાનાં આદર્શ પરમહંસ યોગાનંદજીનું સ્થાન સદીનાં મહાન સંતમાં થાય છે.

સ્વામી યુક્તેશ્વરગિરિ, જેમણે યોગાનંદજીના જીવનના આધ્યાત્મિક પાયાને સુદ્રઢ કર્યો હતો, વાસ્તવમાં અત્યંત ગર્વનો અનુભવ કરતાં હશે કે તેમના પ્રિય અને પ્રમુખ શિષ્ય, જેમને પ્રેમના અવતાર અથવા પ્રેમાવતાર ના રૂપે ઓળખાય છે; તેમણે પોતાની પાછળ આટલી મહાન વિરાસત મૂકી છે. બાકી બીજું બધું પ્રતીક્ષા કરી શકે છે, પરંતુ આપની ઈશ્વરની શોધ પ્રતીક્ષા નહીં કરી શકે! આ શબ્દોની સાથે યોગાનંદજીએ સંપૂર્ણ વિશ્વને આ આહવાન કર્યું કે આપના જીવનના મહાનતમ ઉદ્દેશ્યની પૂરતી માટે પ્રયાસ પ્રારંભ કરી દો અને આપના જીવનનના ઉદ્યાનને અનાવશ્યક નીંદણથી મુક્ત કરો.

યોગાનંદજીની શિક્ષાઓ વૈજ્ઞાનિક ધ્યાનની પ્રાચીન પ્રણાલી, ક્રિયાયોગ પર કેન્દ્રિત છે. સંપૂર્ણ વિશ્વના હજારો એસઆરએફ/વાયએસએસ દીક્ષિત ક્રિયાવાન ભક્ત નિયમિત રૂપે આ પ્રાચીન પ્રવિધિનો અભ્યાસ કરે છે અને જીવન તથા મૃત્યુના ચક્રથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, જે અન્યથા અનિવાર્ય છે. પ્રાણાયામની આ પ્રવિધિ દ્વારા પ્રાણશક્તિનું નિયંત્રણ થાય છે તથા સામાન્ય રૂપથી બહારની તરફ અને પાંચ જ્ઞાનેન્દ્રિઓમાં પ્રવાહિત થતી પ્રાણશક્તિ અંતર્મૂખી થઈને મેરુદંડ તેમજ મસ્તિષ્કમાં પ્રવાહિત થવા લાગે છે. વર્તમાન સમયમાં પરમહંસ યોગાનંદનાં વિચાર અને ક્રિયા યોગથી કરોડો લોકો આકર્ષિત થઈ રહ્યા છે. યોગાનંદજી અને તેમની સંસ્થાનો ધ્યેય ક્રિયા યોગની સાચી સમજણ સાથે પૂર્વ અને પશ્ચિમનાં સમાજનો પરસ્પર સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સાયુજ્ય સાધી આધ્યાત્મિક વિકાસ કરવાનો છે. આ વિકાસ એટલે દૈનિક, વૈજ્ઞાનિક અને ભક્તિમય જ્ઞાન સાથે ક્રિયા યોગનું ધ્યાન ધરવું. અને આ બધું જ શક્ય બન્યું મહાવતાર બાબાજી દ્વારા લાહિડી મહાશય અને લાહિડી મહાશય દ્વારા યુક્તેશ્વરગિરિ અને યુક્તેશ્વરગિરિ દ્વારા પરમહંસ યોગાનંદને અપાયેલી ક્રિયાયોગની દિક્ષા દ્વારા..

પ્રત્યેક વર્ષે માર્ચ મહિનામાં ભરતવર્ષના બે મહાન સંતોના મહાસમાધિ દિવસની ઉજવણી થાય છે. કાલાતીત ઉત્કૃષ્ઠ કૃતિ, કૈવલ્ય દર્શનમ ના લેખક, સ્વામી યુક્તેશ્વરગિરિ એ 9 માર્ચ, 1936ના દિવસે પૂરી, ઓડિશામાં પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કરીને મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો તથા એમના વિશ્વવિખ્યાત શિષ્ય, પરમહંસ યોગાનંદે 7 માર્ચ, 1952ના દિવસે બિલ્ટમોર હોટેલ, લોસ એંજલિસ, કેલિફોર્નિયા, અમેરિકામાં મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો. યોગાનંદજીએ મુકુંદ નામના એક કિશોર યુવકના રૂપે સ્વામી યુક્તેશ્વરજીના આશ્રમમાં પ્રવેશ કર્યો હતો અને તેમની દેખરેખ અને સંરક્ષક માર્ગદર્શન હેઠળ શિક્ષા પ્રાપ્ત કરી હતી. શ્રીરામપુર, બંગાળમાં સ્થિત સ્વામી યુક્તેશ્વરજીના આશ્રમમાં તેમના કઠોર પરંતુ પ્રેમમય પ્રશિક્ષણ વડે, આ ઉત્સાહી યુવા શિષ્યનું વ્યક્તિત્વ એક અદ્વિતીય ગુરુના રૂપમાં રૂપાંતરિત થઈ ગયું હતું. યોગાનંદજીના પશ્ચિમીજગતની યાત્રા અને યોગ ધ્યાન પર તેમના વ્યાખ્યાન, જેના કારણે અનંત: સંપૂર્ણ વિશ્વમાં આધ્યાત્મિક પુનર્જાગરણનો અભ્યુદય થયો, જે હવે એક ઈતિહાસ બની ગયા છે.
યોગાનંદજીએ અત્યંત નાટકીય પરિસ્થિતિઓમાં મહાસમાધિ (એક સંતનું પોતાના પાર્થિવ શરીરીથી સચેતન પ્રસ્થાન)માં પ્રવેશ કર્યો હતો. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ભારતના તત્કાલીન રાજદૂત ડોક્ટર વિનય રંજન સેનના સન્માનમાં આયોજિત એક સ્વાગત સમારોહમાં, મંત્રમુગ્ધ શ્રોતાઓની સામે, શક્તિશાળી, જોશપૂર્ણ અને ગરજતા સ્વરમાં એક ભાષણ આપી રહ્યા હતા. જ્યાં ગંગા, વન, હિમાલયની ગુફાઓ અને મનુષ્ય ઈશ્વરના સ્વપ્ન જુએ છે હું ધન્ય થયો; મારા શરીરે આ ભૂમિનો સ્પર્શ કર્યો. પોતાની કવિતા, જેનું શીર્ષક મારું ભારત હતું, તેના આ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાપ્રદ શબ્દોની સાથે જ, યોગાનંદજી જમીન પર ઢળી પડ્યા. તુરંત જ એમના નિર્જીવ શરીરને તેમના શિષ્યોએ ચારે તરફથી ઘેરી લીધું, જેમાં દયા માતાજી પણ હતાં, જે કાલાંતરમાં સેલ્ફ-રિયલાઈઝેશન ફેલોશિપ/ યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા (એસઆરએફ/વાયએસએસ)ના ત્રીજા અધ્યક્ષ બન્યા. તમને જાણીને અચરજ નહીં જ લાગે કે, પરમહંસ યોગાનંદજીએ લોસ એંજલસમાં 7 માર્ચ 1952ના રોજ મહાસમાધી લીધી. મહાસમાધીનાં 20 દિવસ પછી 27 માર્ચ સુધી તેમનો દેહ કાંસાની પેટીમાં સચવાયો હતો. અગ્નિસંસ્કાર સમયે તેમનો મૃતદેહ જીવંત ગંધમુક્ત હતો તેવું અમેરિકન સંશોધકોએ નોટરી કરાવી સર્ટીફીકેટ આપ્યું છે!

You Might Also Like

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?

‘શિસ્ત અને સંસ્કારે અપાવી સફળતા’ : IG અશોકકુમાર યાદવ

દેશના વાતાવરણમાં ઓક્સિજનનો જેટલો ફૂલ જથ્થો હશે તેના કરતાં બમણો પ્રદુષિત વાયુ આવી કુવિચારધારાથી ફેલાયેલો હતો

TAGGED: dharm darshan, ધર્મદર્શન
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમારા ઘર, ફ્લેટ કે ફેકટરીની બાજુની મિલ્કત ખરીદતાં સમયે શું કાળજી રાખશો?
Next Article કે.ડી.પી. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો 28મીએ વડાપ્રધાન મોદી શુભારંભ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

11.87 લાખનો દારૂ લઈને આવતી રાજસ્થાની બેલડી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલમાંથી મુક્તિની માંગ સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટના પૂતળાં દહન
સુરભી ડાન્સ એકેડેમી દ્વારા 6 જૂલાઈએ ‘સ્કીલકારી- ધ ટેલેન્ટ શૉ’નું આયોજન
લોધીકાના દેવડામાં કારખાનામાંથી 5.50 લાખની ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયો
44 કરોડના ખર્ચે સ્માર્ટ સિટીથી કટારીયા ચોક સુધી 3.9 કિમીનો નવો રોડ બનશે
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ધર્મ

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મ

રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?