ધો.8 થી12નાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન, નિ:શુલ્ક ફૂલસ્કેપ બુકોનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
- Advertisement -
પાલીતાણા ગોપાલધામ ખાતે સમસ્ત ભરવાડ સમાજ અને શૈક્ષણિક મંડળ દ્વારા ધો.8 થી 12નાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંતો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી દીપ પ્રાગટ્ય કરી અને પહેલગાવની તેમજ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તથા ભરવાડ સમાજના આકસ્મિક અવસાન પામેલા સૌને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી કાર્યક્રમનો શુભ આરંભ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કાનજીબાપુ મહંત રોહીશાળા ઠાકરથી ઉપસ્થિત રાજુભગત બાપુ તેમજ વિષ્ણુબાપુ ગોડલીયા, પાલીતાણાની વિવિધ સરકારી કચેરીમા ફરજ બજાવતા ભરવાડ સમાજના ભાઈઓ તથા બહેનો, ચોસલા માધૂરીબેન રાધવભાઈ, અ.ઊ.ઈં.જોગરાણા મનીષભાઈ યુવા માલધારી અને ચોડાભાઈ બોળીયા, જોધાભાઇ જોગરાણા અન્ય ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
આજ ના કાર્યક્રમમાં ધો. 8 થી 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એકથી ત્રણ નંબર આપી પુરસ્કાર આપી સંતો મહેમાનો દ્વારા વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌ એ શિક્ષણ બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું અને શિક્ષણના માધ્યમથી સમાજ અને દેશની સેવામાં પોતાનું સ્થાનનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌ મહેમાનો અને દાતા પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ પ્રંસગે ભરવાડ સમાજ ના આગેવાનો તથા જ્ઞાતિ વડીલો ભીખાભાઈ મેર પ્રમૂખ તથા સમાજ અગ્રણી વજુભાઇ પટેલ, દાનાભાઈ ચોસલા, શૈલેષભાઈ આલગોતર, રાણાભાઇ ચોસલા અને સહિતનાં આગેવાનો જોડાયા હતાં. આ સાથે સમાજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ફુલસકેપ બુકોનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ રાઠોડ તથા ભરતભાઈ ભુવા, અમિતભાઇ રાઠોડ, આનંદભાઈ સાટીયા, અનિલભાઈ મેરએ સારી એવી જહેમત ઉઠાવી હતી તેમજ ભરવાડ સમાજ શૈક્ષિણક મંડળ પાલીતાણા તમામ સભ્યોએ સંતો અને મહેમાનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.