તાલિબાને કહ્યું- આનો જવાબ આપશું
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પાકિસ્તાને ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. રોયટર્સ અનુસાર, કાબુલમાં ઘરો પર થયેલા બોમ્બમારામાં 4 લોકોના મોત થયા અને 15 ઘાયલ થયા. તેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હુમલાઓમાં ઘણા ઘરોને પણ નુકસાન થયું છે.
બીજી તરફ, તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ અનુસાર, આ હુમલો પ્રાઈવેટ એરલાઈન ’કામ એર’ના ફ્યુઅલ ડેપો પર કરવામાં આવ્યો હતો, જે નાગરિક વિમાનો અને ઞગના વિમાનોને પણ ફ્યુઅલ સપ્લાય કરે છે. તેમણે ચેતવણી આપી કે આ હુમલાનો જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ રોયટર્સને જણાવ્યું કે આ કાર્યવાહી પાકિસ્તાની તાલિબાન (ઝઝઙ)ના ઠેકાણાઓ પર કરવામાં આવી છે. પાકિસ્તાનનું કહેવું છે કે તાજેતરના મહિનાઓમાં દેશમાં વધતા આતંકવાદી હુમલાઓ પછી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર જણાવ્યું કે પાકિસ્તાની હુમલા કંધાર અને પક્તિકા પ્રાંતોમાં પણ કરવામાં આવ્યા. કંધારને તાલિબાન નેતાઓના ગઢ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે, તાલિબાન સરકારે પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યા છે. તેનું કહેવું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ હુમલાઓ માટે કરવા દેવામાં આવશે નહીં.
ખરેખર, પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર દબાણ કરતું રહ્યું છે કે તે પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ આતંકવાદી સંગઠનને ન કરવા દે. ઇસ્લામાબાદનો આરોપ છે કે ઝઝઙ અફઘાનિસ્તાનથી કાર્યરત છે, જ્યારે તાલિબાન સરકાર આ આરોપોનો સતત ઇનકાર કરતી રહી છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંઘર્ષની શરૂઆત 22 ફેબ્રુઆરીએ થઈ હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા.
પાકિસ્તાનના ઉપ ગૃહ મંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં ઝઝઙના ઠેકાણાઓ પર કાર્યવાહીમાં ઓછામાં ઓછા 70 સૈનિકો માર્યા ગયા. બાદમાં પાકિસ્તાની અખબાર ડોને આ સંખ્યા 80 સુધી પહોંચવાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પર હુમલો કર્યો.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાનને ‘યોગ્ય સમયે સખત જવાબ’ આપવામાં આવશે. મંત્રાલયે આ હુમલાઓને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.



