ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સોમવારે (8 જુલાઈ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (ઉંઈઘ) સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. હુમલામાં ઘાયલ થયેલા પાંચ જવાનોને મોડી રાત્રે કઠુઆના બિલવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી પઠાણકોટ સૈન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આ હુમલાને લઈને સેનાના સૂત્રો તરફથી સતત નવી માહિતીઓ સામે આવી રહી છે. જેના પ્રમાણે આ હુમલો 3 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ એડવાન્સ હથિયારોથી સજ્જ હતા. તેમની પાસે અમેરિકન બનાવટની ખ4 કાર્બાઈન રાઈફલ્સ, વિસ્ફોટક ડિવાઈસ અને અન્ય હથિયારો છે. એવું પણ લાગે છે કે હુમલા બાદ આતંકવાદીઓ સુરક્ષિત રીતે ભાગી છૂટવામાં સફળ થયા હતા. આ આતંકીઓએ હાલમાં જ બોર્ડર પાર કરીને ઘૂસણખોરી કરીને આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હુમલા માટે એક લોકલ ગાઈડે પણ આતંકીઓની મદદ કરી હતી.
- Advertisement -
જોકે, સુરક્ષા દળો બપોરે 3.30 વાગ્યે પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ કુઠુઆના મછેડી વિસ્તારમાં સર્ચ કરી રહી હતી,સર્ચ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. વિસ્તારમાં વધુ સુરક્ષાદળો મોકલવામાં આવ્યા હતા. બે મહિનામાં સેનાના વાહન પર આ બીજો આતંકવાદી હુમલો છે. જ્યારે બે દિવસમાં સેના પર આ બીજો હુમલો છે. રવિવારે પણ સૈન્ય ચોકી પર હુમલો થયો હતો. આજે મંગળવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.
કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની શાખા છે. સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે આ હુમલો 26 જૂને ડોડામાં માર્યા ગયેલા 3 આતંકવાદીઓના મોતનો બદલો છે. એ પણ જણાવ્યું કે આતંકીઓએ હેન્ડ ગ્રેનેડ અને સ્નાઈપર ગનથી હુમલો કર્યો.
ફરી લાગુ થશે ‘એનિમી એજન્ટ્સ એક્ટ’
આ કાયદામાં મદદગાર થયેલી વ્યક્તિની સંપત્તિ જપ્ત થશે અને આજીવન કેદ કે ફાંસી સુધીની સજા થઈ શકે
- Advertisement -
સેનાએ આ વર્ષના અંત સુધીમાં જમ્મુ ક્ષેત્રમાંથી આતંકવાદને ખતમ કરવાની યોજના તૈયાર કરી છે. તાજેતરમાં ગૃહ મંત્રાલયમાં યોજાયેલી બેઠક બાદ પૂંછ, રાજૌરી, રિયાસી અને કઠુઆમાં સક્રિય 30 આતંકવાદીઓની યાદી બનાવવામાં આવી છે. આતંકવાદીઓ અને તેમના મદદગારોને ખતમ કરવા માટે દુશ્મન એજન્ટ અધિનિયમને તેના મૂળ સ્વરૂપમાં ફરીથી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાયદામાં મદદગારની સંપત્તિ જપ્ત કરવાથી લઈને આજીવન કેદ અને મૃત્યુ સુધીની સજાની જોગવાઈઓ છે. તેની રચના 1948માં વિદેશી આતંકવાદીઓ અને ઘૂસણખોરોને ખતમ કરવા માટે કરવામાં આવી હતી. બાદમાં તેમાં સુધારો કરીને કાનૂની સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સજા ઘટાડીને 10 વર્ષ કરવામાં આવી હતી. હાલમાં ઞઅઙઅ પણ અમલમાં છે, પરંતુ એનિમી એજન્ટ્સ એક્ટ આના કરતાં પણ વધુ કડક છે.