આ બધા વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે કોહલીને સપોર્ટ કરતી એક પોસ્ટ શેર કરી છે. એ પોસ્ટમાં બાબરે કોહલીને મજબૂત બની રહેવા માટે વાત કરી છે
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો સમય થોડો ખરાબ ચાલી રહ્યો છે. લગભગ દોઢ વર્ષથી વિરાટ એક પણ સદી ફટકારી શક્યા નથી અને છેલ્લા ઘણા સમયથી મોટો સ્કોર પણ બનાવી શક્યા નથી પણ હવે તો સામાન્ય સ્કોર બનાવવા માટે પણ વિરાટ છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે.
- Advertisement -
England win the second #ENGvIND ODI. #TeamIndia will look to bounce back in the series decider on Sunday. 👍 👍
Scorecard 👉🏻👉🏻 https://t.co/N4iVtxbNBF pic.twitter.com/9pjXrRktJH
— BCCI (@BCCI) July 14, 2022
- Advertisement -
જો કે હાલ કોહલી તેને લાગેલ ઘા ને કારણે ઈંગ્લેન્ડ સામે પહેલો મેચ રમી શક્યા નહતા પણ એમને બીજા વનડે રમવાનો મોકો મળ્યો છતાં પણ વધુ સ્કોર કર્યા વિના વિરાટ પવેલિયન પાછા કારતઆ નજર આવ્યા હતા. આવા કપરા સમયે ઘણા ક્રિકટરો એમણે સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા એમની આલોચના પણ કરી રહ્યા છે.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022
બાબર આઝમે કોહલી માટે પોસ્ટ શેર કરી
આ બધા વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે કોહલીને સપોર્ટ કરતી એક પોસ્ટ શેર કરી છે. એ પોસ્ટમાં બાબરે કોહલીને મજબૂત બની રહેવા માટે વાત કરી છે અને તેનો સપોર્ટ કોહલી સાથે છે એવું દર્શાવ્યું છે. એમને એક તસવીર શેર કરતાં સાથે લખ્યું કે ટેન્શન ન લો આ ખરાબ સમય જલ્દી જ વીતી જશે. બસ મજબૂત બની રહો.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં બીજો વનડે મેચ રમાયો હતો જેમાં ઈંગ્લેન્ડ 246 રન બનાવ્યા હતા અને રીમ ઈન્ડિયા ફક્ત 146 રન બનાવી શકી હતી. 100 રનના અંતરે ટીમ ઈન્ડિયા આ મેચ ઘણી ખરાબ રીતે હારી ગઈ હતી. કોહલીની વાત કરીએ તો એ આ વખતે પણ સારો સ્કોર ન બનાવી શક્યા અને એમણે 25 બોલમાં ફક્ત 16 રન બનાવીને પવેલીયન પાછા ફર્યા હતા. જો કે એ સમયે કોહલીએ ત્રણ ચોકા માર્યા હતા.