ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત દરેક મંદિરોમાં, ભાગવત સપ્તાહો, કથાઓ, તેમજ હિન્દુ પરિવારના ઘરે ઘરે પણ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે.અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું જૂનાગઢ મહાનગરમાં ગત તારીખ 26-11-2023, રવિવારના રોજ ઢોલ નગારા સાથે સ્વાગત થયા બાદ 03-12-2023, રવિવારના રોજ ભવનાથ મંદિરે પૂજિત અક્ષત કળશનું પૂજન કરી શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના અભિયાનની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલ લંબે હનુમાન મંદિર, ગોરક્ષનાથ આશ્રમ, ભારતી આશ્રમ, સર્વે આખાડાઓ, અવધૂત આશ્રમ સહિતના નાના મોટા આશ્રમો, મંદિરોમાં સફાઇ કર્મચારીઓ દ્વારા કળશની પધરામણી કરી પૂજન કરવામાં આવેલ અને હવે આગામી દિવસોમાં જૂનાગઢ સ્થિત આવેલ દરેક નાના મોટા મંદિરો તેમજ પોતાના ઘરમાં જે પરિવારો કળશની પધરામણી કરવા ઈચ્છતા તે તમામના ઘરે ઘરે પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે આ અક્ષત કળશ રથ યાત્રામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દૂ પરિષદના તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશની પધરામણી દરેક મંદિરોમાં કરવામાં આવશે
