SOG પોલીસે માછીમારોને જરૂરી સુચના જારી કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના દરિયાકિનારે અનેકવાર નશીલા પર્દાથના કોરોડો રૂપિયાના પેકેટો મળી આવ્યાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક ઘટના સુત્રાપાડા નજીક દરિયાકીનારેથી ચરસનો જથ્થો મળી આવ્યાનું સામે આવ્યુ છે. સ્થાનિક માછીમારોને વડોદરા ઝાલા દરિયાકીનારે નશીલા પર્દાથના પેકેટો પડ્યા હોય તે બાબતે ગિર-સોમનાથ એસઓજી પોલીસને જાણ કરતા એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વડોદરા ઝાલાના દરિયા કાંઠેથી ચરસના નવ પેકેટ મળી આવ્યા હતા. આ અગાઉ પણ પોરબંદરથી દિવ સુધીના દરિયાકિનારા વિસ્તારમાંથી કરોડો રૂપિયાના નશીલા પદાર્થના પેકેટો મળી આવેલ છે. જે બાબતે એસઓજી પીઆઇ એબી જાડેજા, એએસઆઇ નરવણસિંહ ગોહીલ તેમજ ગોવિંદભાઇ વંશ દ્વારા દરિયા કિનારાના વસ્તા માછીમારોને અગત્યની સુચના આપવામાં આવી છે. માછીમારી દરમિયાન કોઇ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ જોવા મળે તો તૂરંત મોબાઇલ નં.98793 10077 સહિત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી.