– સાયન્સ સીટી – રાજકોટ, ફિજિક્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ અને વિજ્ઞાન ગુર્જરી (વિભા) મારફત સંયુક્ત આયોજન
- 1000 થી વધારે છાત્રો જોડાયા
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ફિજિક્સ ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ અને વિજ્ઞાન ગુર્જરી (વિભા) ના સાયુક્ત ઉપક્રમે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો દ્વારા, લોકો માટે” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન સહિત તમામ વયજૂથનાં લોકો માટે વિવિધ વર્કશોપ્સ, એક્ટિવિટીઝ અને સેમિનારનું આયોજન કરવામા આવે છે.
- Advertisement -
ભારતના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) દ્વારા વિકસાવેલ મિશન ચંદ્રયાન-3 તારીખ 14 જુલાઇ 2023 એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. જેનું મૂન સોફ્ટ લેંડિંગ એટલે કે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર આજરોજ તારીખ 23મી ઑગસ્ટ 2023 નાં દિવસે સફળતાપૂર્વક ઉતરાણ થયેલ. આ કાર્યક્ર્મના જીવંત પ્રસારણનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ખાતે સાયન્સ ક્લબ, ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિજ્ઞાન ગુર્જરીનાં સંયુક્ત ઉપક્રમે જાહેર જનતા માટે રાખવામાં આવેલ હતું. જેમાં, બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લઈ ભારતના આ ગૌરવપૂર્ણ ક્ષણનાં સાક્ષી બન્યા.
- Advertisement -
તારીખ 14 જુલાઇએ લોન્ચ થયા પછી મિશનના તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ થતાં, આજ રોજ 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર ઐતિહાસિક ઉતરાણ કરવામાં આવેલ હતું. ચંદ્રયાન-3 આ વખતે ઈસરોનાં જણાવ્યાં અનુસાર ચંદ્રયાનના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવની નજીકના એક ચોક્કસ પોઇન્ટને ટાર્ગેટ કરવામાં આવેલ અને વધુમાં ઇસરો દ્વારા યાનને વૈકલ્પિક સ્થાન પર અવરજવર કરવા માટે વધારે બળતણ અને ક્ષમતા પ્રદાન કરવામાં આવેલ છે. આ મિશન અંતર્ગત રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા વિવિધ શાળાઓમાં પ્રાથના યોજવામાં આવેલ. આ ઉપરાંત સેન્ટરના મુલાકાતીઓ માટે “ચંદ્રને જાણો” ,” ચંદ્રની કળાઓ”, “સ્મેલ-ધ-મૂન” અને “ચંદ્રની સપાટી ને જાણો” જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવેલ.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) દ્વારા આજરોજ તા. 23મી ઓગસ્ટ 2023ના રોજ બપોરે 4:00 કલાકથી ‘ચંદ્રયાન-3ના ઉતરાણનું જીવંત પ્રસારણનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્ય અતિથિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સલર ડો. ગિરીશભાઈ ભીમણીએ જણાવેલ કે ચંદ્રયાન-3 એ ભારત દેશ માટે મહત્વની સફળતા બની રહેલ છે. આ મિશનથી ભારત દેશ અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈઑ સર કરશે અને પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીજીના ભારત દેશને અવકાશ ક્ષેત્રમાં એક સફળ દેશ બનાવવાના સપનાને સાકાર કરશે. તદુપરાંત, ઇસરોનાં તજજ્ઞ વૈજ્ઞાનિક ડો. પારૂલ પટેલએ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાઈ ચંદ્રયાન – 3 ના મિશન વિશેની મહત્વની અને ઝીણવટભરી જાણકારી આપેલ હતી. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) નાં પ્રોજેકટ ડાઈરેક્ટર ડો. સુમિત વ્યાસ એ જણાવેલ કે આ મિશનની સફળતાએ વિજ્ઞાન અને ટેકનૉલોજીની દુનિયામાં ભારત દેશનું એક અલગ સ્થાન નક્કી કરશે અને ભારત દેશનું નામ આવનારા યુવાઓને અવકાશ અંગે નવા સંશોધનો કરવા પ્રેરિત કરશે. વધુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રભવનનાં અધ્યક્ષ ડો . નિકેશ શાહ એ જણાવેલ કે, આ મિશન માટે ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનત કાબેલેતારીફ રહી છે અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક વધાર્યું છે.
આ કાર્યક્રમનાં આશરે 1000 થી વધુ વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજ અને યુનિવર્સિટીના યુવાનો અને સિનિયર સીટીઝન વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્ર્મમાં સામેલ તમામ લોકોએ સાંજે 6.04 કલાકે ચન્દ્રયાન- 3 ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થતાંની સાથે જ ‘ભારત માતા કી જય’ અને ‘વંદેમાતરમ’નો જય ઘોષ સાથે ભારતના વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિધ્ધીને વધાવી હતી.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ)ના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ચંદ્રયાન-3ના ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતરણ માટે ઈસરોની ટિમને અભિનંદન પાઠવેલ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પ્રેક્ષકોનો ભારતની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવેલ. ચંદ્રયાન-3 ના જીવંત પ્રસારણ અંગેના કાર્યક્ર્મની સફળતા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.