V ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ની સાથે ગ્રોસ નેશનલ કોન્ટ્રીબ્યુશન (GNC)ની પણ ગણના જરૂરી – ડો. સંજીવ ઓઝા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ ઇન્ડિયા (IPO)ના સહયોગથી “બૌદ્ધિક સંપદા અધિકારો-વિકસિત ભારત માટે શિક્ષણમાં જરૂરિયાત” વિષય પર એક દિવસીય રાજ્ય-કક્ષાના સેમિનાર વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલ. જેમાં ઉદ્યોગપતિઓ, ફેકલ્ટી સભ્યો, અનુસ્નાતક અને પીએચડી વિદ્વાનોને બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર નો હેતુ નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતમાં યોગદાન આપવા માટે IPRની નિર્ણાયક ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો હતો. આ સેમીનારમાં અમિતકુમાર પટેલ (IP લો સર્વિસીસ), ડો. પદ્મિન બુચ (ઉદ્યોગ નિષ્ણાત), ડો. ઉન્નત પંડિત- ભારત સરકાર, સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. સંજીવભાઇ ઓઝા તથા પ્રિન્સીપાલ ડો. પિયુષભાઇ વણઝારા ઉપસ્થિત રહ્યા હતા. અમિત કુમાર પટેલ (IP લો સર્વિસીસ):- એક અનુભવી IP વ્યાવસાયિક, જે બૌદ્ધિક સંપદા કાયદામાં કુશળ છે, પટેલે કેસ સ્ટડીઝ અને શ્રેષ્ઠ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં ફેકલ્ટી અને ઉદ્યોગો બંને માટે ઈંઙછ શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઇ વણઝારાએ જણાવ્યું હતું કે, યુ.એસ.એ. ર8 ટ્રીલીયન ડોલરની જીડીપીમાંથી 7.ર ટ્રીલીયન ડોલર માત્ર આઇ.પી.આર. એટલે કે, ઇન્ટરનેશનલ પ્રોપર્ટી રાઇટ્સ માંથી આવે છે. આ રકમ ભારતની 3.9 ટ્રીલીયન ડોલર ઇકોનોમીપણ કરતાં પણ વધુ છે આ ઉપરથી અમેરિકા જેવા દેશો ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપટી રાઇટ્સ(આઇ.પી.આર.) પ્રત્યે કેટલા સજાગ છે તેનું મહત્વ સમજાઈ જવું જોઈએ.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડો. સંજીવભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (ૠઉઙ)ની સાથે સાથે ગ્રોસ નેશનલ કોન્ટ્રીબ્યુશન (ૠગઈ)ની પણ ગણના જરૂરી છે. એટલે કે, મારું મારા દેશ માટે શું યોગદાન છે તે વિચારવું આવશ્યક છે સાથે જ એજયુકેશન સિસ્ટમ લર્નીંગ સેન્ટ્રીક બને તે પણ જરૂરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ પ્રો. ભાર્ગવભાઈ ગોકાણી,
પ્રો. અમિતભાઇ પાઠક, ડો. દિપેશભાઈ કામદાર,
પ્રો. ભાવેશભાઇ રાવલ, પ્રો. દિપકભાઇ વરુ,
પ્રો. સાવન ભાઇ વાછાણી, ડો. દિપેશભાઈ કુંડલીયા, ડો. કોમિલભાઇ વોરા, પ્રો. પ્રિયંકભાઇ ખીરસરીયા, શ્રી ઉદયભાઇ રાવલ, પ્રો. દિપેશ ભાઇ જોશી,
ડો. સુશીલકુમાર કોરગાંવકર, પ્રો. કુંજનભાઇ ભંડેરી, પ્રો. સ્વીટુબેન સુરેજાએ જહેમત ઉઠાવી હતી. સેમીનારની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, હર્ષલભાઈ મણીઆર, તથા
ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી છે.