ઉડાનો રદ્દ થવાથી એરલાઈન કંપનીઓને આર્થિક નુકસાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
ઓપરેશન સિંદૂર અંતર્ગત તા.7થી 12 મે દરમિયાન પાકિસ્તાની એરસ્પેસ બંધ થતા ઈન્ટરનેશનલ ફલાઈટસ એર લાઈન કંપનીઓએ ફલાઈટ બંધ કરતા દેશના 32 એરપોર્ટ પરથી 3 લાખથી વધુ ટિકિટો 6 દિવસમાં કેન્સલ કરવી પડી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટ પરથી દરરોજ 50 હજારથી 65 હજાર મુસાફરોની આવન-જાવન થાય છે. પરંતુ પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાક સામે એકશન લેતા અને પાકિસ્તાને પોતાના એરસ્પેસ બંધ કરી દેતા દેશના 32 એરપોર્ટ પરથી ઉડાનો રદ થવાને પગલે 3 લાખ જેટલી ટિકિટો કેન્સલ થઈ હતી જેના કારણે એરલાઈન્સને આર્થિક અસર થઈ હતી.