પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: તેહરાનથી પ્રથમ વિમાન દિલ્હી આવશે, દૂતાવાસે પાસપોર્ટ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી હિંસક પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ત્યાંથી ભારતીયોને એરલિફ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. પ્રથમ વિમાન આજે તેહરાનથી નવી દિલ્હી માટે રવાના થશે.જમ્મુ અને કાશ્ર્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (ઉંઊંજઅ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ભારતીય દૂતાવાસે તેમની અંગત વિગતો અને પાસપોર્ટ એકત્રિત કરી લીધા છે. પ્રથમ બેચને સવારે 8 વાગ્યા સુધીમાં તૈયાર રહેવાની જાણકારી આપી દેવામાં આવી છે. પ્રથમ બેચમાં ગોલેસ્તાન યુનિવર્સિટી, શાહિદ બહેશ્ર્તી યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ અને તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસના કેટલાક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઈરાનમાં લગભગ 10000 ભારતીયો રહે છે. તેમાંથી 2500-3000 વિદ્યાર્થીઓ છે, જેઓ મેડિકલનો અભ્યાસ કરવા ત્યાં ગયા હતા. એડવાઇઝરીમાં જણાવાયું છે કે ઇરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકો તેમના પાસપોર્ટ, વિઝા અને અન્ય જરૂૂરી દસ્તાવેજો હંમેશા પોતાની પાસે તૈયાર રાખે. આ સંબંધમાં કોઈપણ મદદ માટે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે. દૂતાવાસે ઇમરજન્સી સંપર્ક હેલ્પલાઇન પણ જારી કરી છે. મોબાઇલ નંબર: +989128109115; +989128109109; +989128109102; +989932179359. ઇમેઇલ: ભજ્ઞક્ષત.યિંવફિક્ષળયફ.લજ્ઞદ.શક્ષ ઇરાનમાં હાજર એ તમામ ભારતીય નાગરિકો જેમણે હજુ સુધી ભારતીય દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને વિનંતી છે કે તેઓ આ લિંક (વિિંાંત://ૂૂૂ.ળયફયતિ.ભજ્ઞળ/યિિીયતિ/ંવજ્ઞળય) દ્વારા રજીસ્ટર કરે. આ લિંક દૂતાવાસની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જો ઇરાનમાં ઇન્ટરનેટ અવરોધિત થવાને કારણે કોઈ ભારતીય નાગરિક નોંધણી કરવામાં અસમર્થ હોય, તો ભારતમાં તેમના પરિવારના સભ્યોને વિનંતી છે કે તેઓ તેમની વતી નોંધણી કરી શકે છે. બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકરને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો. તેમણે ઈરાનની પરિસ્થિતિઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલય (ખઊઅ)એ ભારતીય નાગરિકોને ઈરાન ન જવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલય અનુસાર, ઈરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો હાજર છે. ભારત સરકારની આ એડવાઈઝરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તે ધમકી પછી આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ઈરાન દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનોનો હિંસાથી જવાબ આપવાનું ચાલુ રાખશે, તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ઈરાની ચલણ રિયાલ ઐતિહાસિક રીતે ઘટ્યા પછી ગયા મહિને ઈરાનમાં પ્રદર્શનો શરૂૂ થયા હતા. ત્યારથી તે દેશના તમામ 31 પ્રાંતોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનોમાં મૃત્યુઆંક પર નજર રાખતી અમેરિકી સંસ્થા હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 2,550થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં 2,403 પ્રદર્શનકારીઓ અને 147 સરકાર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. જોકે, ઈરાન સંબંધિત મામલાઓને કવર કરતી વેબસાઈટ ઈરાન ઈન્ટરનેશનલે દાવો કર્યો છે કે દેશભરમાં ઓછામાં ઓછા 12 હજાર લોકોના મોત થયા છે. મોટાભાગના લોકો ગોળી વાગવાથી માર્યા ગયા છે.



