ગોંડલના જેતપુર રોડ પર ગીતા નગરમાં રહેતા અને જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામ ખેતી ધરાવતા નિમિષાબેન પંડ્યા ના ખેતર ના કુવા ઉપર સુગરી એ માળા બાંધ્યા છે આ પક્ષી સુગરી તેના માળા માટે પ્રખ્યાત પક્ષી છે.
વૈશ્વિકસ્તરે પક્ષીઓની નાતમાં ‘આર્કિટેકટ એન્જિનિયર’ની આગવી ઓળખ ધરાવનારા આ નર સુગરી ખૂબ જ ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરે છે. આ માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે, સાપ જેવા કોઇ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી ના શકે, સ્વાભાવિક છે કે, પાતળી ડાળીના છેડે વજનદાર સાપ જાય તો બેશક નીચે જ સરકી જાય. માળામાં ભીની માટી રાખી સુગરી પવનથી પોતાના માળાને સુરક્ષા આપે છે, જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન જાય. આ પક્ષીનું નામ ‘સુગૃહી’ શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ સારું ઘર બનાવનાર થાય છે.
પ્રથમ દ્રષ્ટિએ જોતા જ ગમી જાય એવો આ વિશિષ્ટ રચના ધરાવતો માળો ત્રણ તબક્કે આકાર પામે છે તો અમુક નરનો માળો પ્રથમ તબક્કે જ માદા સુગરી ‘રિજેક્ટ’ કરે એટલે નાશ પામે છે. પ્રથમ તબક્કે વર્ષાઋતુની સીઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યાર બાદ ઘાસની પત્તીઓ ભેગી કરીને આ ‘એન્જિનિયર’ પગ અને ચાંચ વડે ગૂંથી માળાને ગોળ પ્રકારનો આકાર આપે છે.
- Advertisement -
સુગરી માદા સુગરી નરને નહીં પણ તેના બનાવેલા માળાને પસંદ કરે છે અને એમ અનુક્રમે તે માળો બનાવનાર નર સુગરી સાથે સંવનન કરે છે. મેથી સપ્ટેમ્બર મહિના સુધીનો સમય આ પક્ષીના પ્રજનનકાળ માટે ઉત્તમ ગણાય છે. ગરમીની ઋતુમાં તેમના બચ્ચાઓ ભીની માટીવાળા માળામાં ઠંડકમાં ઉછેર પામે છે.
નિમિષાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા દોઢ બે માસથી આ પંખીઓનો કલરવ સાંભળી રહ્યા છીએ અને તેમની માળા બનાવવાની મહેનત ખૂબ જ પસંદ પડે છે ત્યાંથી નજર હટતી નથી