રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પારિવારિક ગોષ્ઠી, વિશિષ્ટ સિદ્ધી મેળવનાર સદસ્યોનું સન્માન કરાયું
સહકારી ક્ષેત્ર ભારતની વિશેષતા છે અને દેશમાં મહત્વપૂર્ણ યોગદાન છે : સુમંતજી આમશેકર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 72મી વાર્ષિક સાધારણ સભા બાદ પારિવારિક ગોષ્ઠી બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે યોજાઈ હતી અને તેમાં વિશાળ સંખ્યામાં બેંક લિ.ના શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સામાજિક ઉત્તરદાયિત્ત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં પારિવારિક ગોષ્ઠીમાં નાગરિક પરિવારમાં વિશિષ્ટ સિદ્ધી મેળવનાર સદસ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો. દર વર્ષે વાર્ષિક સાધારણ સભા બાદ યોજાતી પારિવારિક ગોષ્ઠીમાં આ વર્ષે અતિથિ વિશેષ તરીકે સુમંતજી આમશેકર ઉપસ્થિત રહ્યા હતા. પારિવારિક ગોષ્ઠીનો શુભારંભ ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસવીરને દીપ પ્રાગટ્યથી થયો હતો. આભાર દર્શન ચંદ્રેશભાઈ ધોળકીયાએ કર્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધનમાં બેંકનાં ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, ’સન્માનીત સર્વે નાગરિક પરિવારજનોને હાર્દિક અભિનંદન. બેંકના ગત વર્ષના વિવિધ લક્ષ્યાંકની માહિતી જોઈ પરંતુ બેંકના સાર્વત્રીક વિકાસ માટે હંમેશા ઉંચુ વિચારવું જોઇએ. આપણે સહુ એક વિચારધારાને સમર્પિત છીએ. સ્વયંસેવક છીએ. કોઈ એકવાર સ્વયંસેવક બને એટલે આજીવન સ્વયંસેવક બની જાય છે.’ સુમંતજી આમશેકરે જણાવ્યું હતું કે, ’સહકારી ક્ષેત્રમાં સમાજ જીવનના લાભ માટે કાર્ય થતું હોય છે. સહકારી ક્ષેત્ર ભારતની વિશેષતા છે અને દેશના વિકાસમાં બહુ મોટુ અને મહત્વપૂર્ણ યોગદાન છે. આ ક્ષેત્રમાં સમાજ દ્વારા સમાજને આગળ લાવવા માટે કાર્ય થતું હોય છે. સહઅસ્તિત્વના વાત કરીએ તો, બધાનું સુખ અને બધાની ચિંતા એ જ સહઅસ્તિત્વમાં છે. એક પ્રાર્થના છે કે, જીવનમાં જેટલું મેળવી શકું તેનાથી વધારે આપી શકું તેવી શક્તિ આપજો. આ જ કાર્ય રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. કરી રહી છે. સામાજિક યોગદાન હોય કે અન્ય કાર્યો, આ વાતની પૂર્તિ કરે છે.’
આ સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયા, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર પ્રચારક સુમંતજી આમશેકર, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ, ગુજરાત પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ, બેંક પરિવારમાંથી ચેરમેન દિનેશભાઈ પાઠક, વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ, ડિરેકટરગણ પૈકી સુરેન્દ્રભાઈ પટેલ, અશોકભાઇ ગાંધી, ચંદ્રેશભાઈ ધોળકીયા, મંગેશજી જોષી, માધવભાઈ દવે, કીર્તિદાબેન જાદવ, કલ્પેશભાઈ ગજ્જર, ડો. નરશીભાઈ મેઘાણી, હસમુખભાઈ હિંડોચા, દેવાંગભાઈ માંકડ, દિપકભાઈ બકરાણીયા, વિક્રમસિંહ પરમાર, નવીનભાઈ પટેલ, લલિતભાઇ વોરા, જ્યોતિબેન ભટ્ટ, હસમુખભાઈ ચંદારાણા, બ્રિજેશભાઇ મલકાણ, ભૌમિકભાઈ શાહ, ચિરાગભાઈ રાજકોટીયા, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), હરેશભાઈ ઠક્કર (કો-ઓપ્ટ), વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર) તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી કાર્તિકેયભાઈ પારેખ (વાઇસ ચેરમેન), સદસ્યો પૈકી શૈલેષભાઈ ઠાકર, જીમ્મીભાઈ દક્ષીણી, અર્જુનભાઈ શિંગાળા, હંસરાજભાઈ ગજેરા, વિજયભાઈ કોઠારી ઉપરાંત વિશાળ સંખ્યામાં બેંકના ડેલિગેટ્સ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
- Advertisement -
વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સદસ્યોનું
સન્માન અને અભિવાદન કરાયુ
સન્માનિત મહાનુભાવોમાં દિનેશભાઈ પાઠક (સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના બિનહરીફ ડિરેકટર), માઘવભાઈ દવે (રાજકોટ શહેર ભા.જ.5. પ્રમુખ), સતીષજી મરાઠે (નાબાર્ડના ડિરેકટર), પ્રદીપભાઈ જૈન (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝીક્યુટીવ કમીટી મેમ્બર), કેસરાભાઈ પિંડોરીયા (શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સીટી-કચ્છ યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય તરીકે ગુજરાત સરકાર દ્વારા નિયુક્તી), પલ્લવીબેન ઠાકર (જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન), હર્ષિતભાઈ કાવર (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત સેક્રેટરી), હસમુખભાઈ હિંડોચા (ગોવા શીપયાર્ડનાં ડિરેકટર), નરેશભાઈ કેલા (પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ડિરેકટર અને ગુજરાત સરકારની ફી રીવીઝન કમીટીમાં સી.એ. સદસ્ય), વલ્લભભાઈ વાછાણી (ભારતીય મજદૂર સંઘમાં અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભારી), હિરેનભાઈ વ્યાસ (ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સદસ્ય), પ્રવિણભાઈ પિંડોરીયા (ગુજરાત કેડા એસોસીએશનનાં સદસ્ય), હિતેષભાઈ પંડયા (ગુજરાત સરકારનાં જનસંપર્ક અધીકારી), ડો. બળવંતભાઈ જાની (ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર વિજેતા), દિલીપભાઈ મહેશ્વરી (ઇન્ટરનેશનલ વૈદ્ય ફેડરેશનના પ્રમુખ), જીજ્ઞેશભાઈ સોની (વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના સદસ્ય), નિખીલભાઈ મેથીયા (સાઉથ કોરીયા ખાતે યોજાયેલ સોફટવેવનાં પ્રતિનિધિ), સંતોષજી જૈન (નવકાર તીર્થના રાષ્ટ્રીય પ્રમુખ)નું સન્માન અને અભિવાદન કર્યું હતું.



