મહાદેવને મહા આરતી અને અલભ્ય શૃંગાર કરવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
સોંરાષ્ટ્ર ના દરિયા કિનારે આવેલ પ્રથમ દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનું મંદિરે આજે સવારથી શિવ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ માહદેવ વિશેષ મહા આરતી અને અલભ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો અને સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગીર સોમનાથ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને શ્રાવણ માસના પહેલા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર શ્ર્વેત, પીળા પીતાંબર વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મંદિરમાં પાલખીપૂજન તથા પાલખી યાત્રા યોજાયેલ હતી જેમાં પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહારથી શણગારવામાં આવી હતી.મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રી દ્વારા કરવામાં આવેલું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના અધિકારી, કર્મચારી,તીર્થ પુરોહિત, દર્શનાર્થીઑ પણ જોડાયા અને ધન્યતા અનુભવી.