જૂનાગઢના દોલતપરામાં શિવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ દોલતપરા પાસે આવેલ ધુનેશ્વર શિવ મંદીરમા ગત તા.13ના રોજ અજાણ્યા ઈસમે મંદિરમાં પ્રવેશ કરીને આરતી કરવાનું પીતળનુ દીવેલ્યું તથા પીતળની લોટી તથા ચાંદીના છત્તર નંગ 2 તથા ચાંદીનું ત્રીપુડ તથા ત્રાંબાની લોટી તથા ત્રાંબાનો ત્રાસ તથા ઝાલર મળી કુલ મુદામાલની કીમત રૂ. 3,000ની ચોરી કરી નાસી ગયા હતા ત્યારે એ.ડિવિઝન પીઆઇ બી.બી.કોળી અને પીએસઆઇ જે.આર.વાઝા અને પોલીસ સ્ટાફે મંદિરના સીસીટીવી ફૂટેઝના આધારે તપાસ દરમિયાન આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
- Advertisement -
દોલતપરાના રામદેપરા વિસ્તારમાં આવેલ ધુનેશ્વર શિવ મંદીરમાં પૂજા પાઠની ચીજવસ્તુની ચોરી થયાની ફરિયાદ સુનીલભાઇ જગદીશભાઇ મકવાણાએ એ.ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરતા આરોપી કુલદીપભાઇ ભુપતભાઇ સોલંકી મૂળ રાજકોટનો હાલ જૂનાગઢ કાળીવાડમાં રેહતા શખ્સને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો હતો અને તેની પાસેથી ચોરીનો તમામ મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.