મહેમાનોની લાગણીને આવકારી તેઓનું ઋણ સ્વિકારતા અંશ ભારદ્વાજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અભયભાઈના પુત્ર અને હાલ ઓફિસની જવાબદારી સંભાળી રહેલા અંશભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, “હુ ફક્ત વકિલાત નથી કરતો પરંતુ વકિલાતને માઘ્યમ બનાવી સમાજ સેવાનુ કાર્ય કરૂ છુ.” આ એક માત્ર સિદ્ધાંતને પોતાનો જીવનલક્ષ બનાવી અભયભાઈ ભારદ્વાજે રાજકોટના લોધાવાડ ચોક ખાતે સન-1980માં અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની સ્થાપના કરી પોતાની સ્વતંત્ર વિવકલાતની શરૂઆત કરી હતી.
- Advertisement -
વધુમાં અંશભાઈ ભારદ્વાજે જણાવેલ હતું કે, “સન-2016માં 35 વર્ષની વકિલાતની સફળ કારકિર્દી બાદ જ્યારે અભયભાઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના 21 માં કાયદા પંચમાં નિયુકત કરવામાં આવ્યા ત્યારે તે કાયદા પંચની સૌ પ્રથમની બેઠકમાં પણ અભયભાઈએ તમામ સભ્યોને વાત કરેલ હતી કે તેઓ એક ’મુફીઝલ વિકલ’ (ટ્રાયલ કોર્ટના વિકલો માટે ઉપયોગી થતો કટાક્ષ ભર્યો શબ્દ જેનો અર્થ દેહાતી વિકલ થાય છે) હોવાના નાતે તેઓ સમાજમાં થતા બદલાવો સાથે સીધા સંપર્કમાં હોય છે તેમજ સામાન્ય માણસના જીવન સંઘર્ષને પ્રત્યક્ષપણે સ્પર્શી શકે છે અને એટલે જ ટ્રાયલ કોર્ટના વિકલના કાયદાને લગતા સુચનોમાં સમાજ સત્યતાનુ વજન હોય છે તેમજ સમાજ સંવેદનાની ગંભીરતા હોય છે. તેઓ જે કોઈ કાયદાને લગતુ સુચન કરશે તે ભારતની ટ્રાયલ કોર્ટોમાં પ્રેકિટસ કરતા લાખો વિકલોનો અવાજ હશે.”
સાથે પોતાના પિતાની વાત કરતા અંશભાઈએ જણાવેલ હતું કે, “ઉપરોકત ઘટના કાયદા પંચના તમામ અન્ય સભ્યોને સ્પર્શી જતા 21માં કાયદા પંચના આવનારા ત્રણ વર્ષો સુધી અભયભાઈનો અવાજએ ભારતના તમામ ટ્રાયલ કોર્ટના વિકલો તેમજ ભારતના પાયામાં રહેલ સમાજ વ્યવસ્થાનો અવાજ બની ગરજતો રહ્યો. જે અવાજને આજદિન સુધી રાષ્ટ્રીય સ્તરે યાદ કરવામાં આવે છે.” સાથે પોતાના પિતાની સમાજમાં સર્વમાન્ય સ્વિકૃતિ ચર્ચા કરતા અંશભાઈએ જણાવેલ હતું કે, “અભયભાઈની સત્ય અને સ્પષ્ટ બોલવાની કળાએ સર્વસમાજ માટે સ્વિકૃત હતી. અભયભાઈ કોઈ પણ સમાજનો પ્રશ્ર્ન હોય તો તેને પોતાનો અંગત પ્રશ્ર્ન માની અને કાયદાકિય સંઘર્ષમાં ન ઉતરી અરસ-પરસ વાતચિતથી સમાધાન કરાવવાનો પ્રયત્ન કરતા. કોઈ ખોટી દીશામાં દોરાય રહ્યુ હોય તો તેને ટકોર કરવાનો સાહસ પણ અભયભાઈ રાખતા. એટલે જ અભયભાઈને દરેક સમાજના લોકો એક વિકલ તરીકે નહી પરંતુ સમાજના એક વડેલ તરીકે જોતા અને અભયભાઈની ઓફિસને પોતાની ઓફિસ માનતા.” નવી ઓફિસમાં પ્રવેશવાના નિર્ણય વિશે ચર્ચા કરતા અંશભાઈએ જણાવેલ હતું કે, “જ્યારે અભયભાઈની ઓફિસને સ્થળાંતરીત કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તે નિર્ણય અમારા માટે કઠીન હતો. ઓફિસનું સ્થળાંતર કરવાનો નિર્ણય અભયભાઈએ પોતે જ લીધો હતો અને હાલની ઓફિસની પસંદગી પણ તેઓએ સ્વયંમે જ કરી હતી. પરંતુ તેઓની ગેરહાજરીમાં નવી ઓફિસમાં જવું અમને થોડુ અજુગતુ લાગતુ હતુ. તે તમામ શંકાઓ દુર થઈ જ્યારે ગત રવિવારે નવી ઓફિસે મહેમાનોને આવકારવાના પ્રસંગે અમારા આમંત્રણને માન આપી અભયભાઈથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે જોડાયેલ અસંખ્ય લોકો પોતાની લાગણીની અભિવ્યકિત કરવા અને અમને આશીર્વાદ આપવા પહોંચી ગયા.”
અંશભાઈ અને ઓફિસની ત્રીસથી વધુ વિકલોની ટીમે આર્શીવાદ આપવા પધારેલ મહેમાનોને આવકારતા ગર્વ અને ઉત્સાહની લાગણી અનુભવેલ હતી. સર્વ સમાજનો ભાઈની ઓફિસ પ્રત્યેનો ભરોસો અને સ્નેહ જોઈ અંશભાઈએ જણાવેલ હતું કે, “આજે ઓફિસનો દરેક સભ્ય ઉત્સાહીત તો છે જ પરંતુ તેની સાથે અમારી સમાજ પ્રત્યેની જવાબદારીનો આજે અમને અહેસાસ થયો છે. અભયભાઈએ ચીંધેલા માર્ગ ઉપર ચાલી અને વિકલાતની સેવાનું માધ્યમ બનાવાની અમારી ઈચ્છા શકિત આજે વધુ પ્રબળ બની છે.” સંતો મહંતો, રાજકિય આગેવાનો, પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સીનયર વકિલશ્રીઓ, જુનીયર વકિલ મિત્રો અને ભારે સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકોને નવી ઓફિસે આવકારતા અંશભાઈ સહિત ઓફિસના તમામ સભ્યોએ સૌ પધારેલ મહેમાનશ્રીઓનો ઉપસ્થિત રહેવા બદલ આભાર માનેલ હતો અને તેઓની ઓફિસ પ્રત્યેની આશા, અપેક્ષા અને લાગણી બદલ તેઓનો ખરા હૃદયથી રૂણ સ્વિકાર કરેલ હતો.
- Advertisement -
અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ તરફથી અંશ અભયકુમાર ભારદ્વાજ, અમૃતા અભયકુમાર ભારદ્વાજ, ધીરજકુમાર પીપળીયા, રશ્મિકાંત પંડયા, ગૌતમ પરમાર, વિજય લક્કડ, રાકેશ ભટ્ટ, જીજ્ઞેશ વિરાણી, કમલેશ ઉઘરેજા, જીતેન્દ્ર કાનાબાર, તારક સાવંત, શ્રેયસ શુકલ, કિશન ટીલવા, કૃણાલ દવે, અનિતા રાજવંશી, વંદના સાવંત, હેતલ અપારનાથી, યોગી ત્રિવેદી, ચેતન પુરોહિત, મિહિર શુકલ, અબ્દુલ સમા, દિશા ફળદુ, અક્ષય શાહ, વૈદિકા પંડયા, અંજના દેવમુરારી, સાગર વાઘેલા, યજ્ઞેશ મદાણી, વિમલ વેકરીયા, રોહન ટાંક, નીવ ચાવડા, કામીલ બેલીમ, સમીર રાઠોડ, મીત ધ્રાફાણી, નયન 5રમાર વિગેરે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ કરેલ હતો.