9મી નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ થશે
શહેરમાં 8.6 કિલોમીટરના રૂટ પર 19 સ્થળોએ અભિવાદન થશે
- Advertisement -
બહાઉદીન કોલેજના મેદાનમાં આરઝી હકુમત સ્મારક સ્તંભનું પૂજન કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ 9મી નવેમ્બરના રોજ આઝાદ થયું હતું તે દિવસને મુક્તિદિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 9 નવેમ્બરના રોજ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય તેના માટે તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો સાથે જુદા જુદા સર્કલ અને ઐતિહાસિક બહાઉદીન કોલેજ સહિતની ઇમારતોને રોશની થી શણગારવામાં આવી છે. જોગાનુજોગ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની સાથે જૂનાગઢ મુક્તિ દિન નિમિતે મુખ્યમંત્રી પધારવાના હોઈ અને બે દિવસનું રોકાણ હોઈ જેને લઈને શહેરના રસ્તા ડિવાઈડર સહીતને શુશોભન કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.9 નવેમ્બરના રોજ જુનાગઢ મુક્તિ દિન અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત જુનાગઢ વિધાનસભાથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો સંગઠન, શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ એસોસિએશન, આરઝી હકુમતના લડવૈયાઓના પરિવારો, સિનિયર સિટીઝન, યુવાઓ, પોલીસ જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, પ્રભુત નાગરિકો મોટી સંખ્યામાં જોડાવા ઉત્સુક છે.
- Advertisement -
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના માર્ગદર્શનમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા તેમજ વહીવટી તંત્ર પોલીસ ટીમ, શહેર- જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ, વિવિધ વેપારી એસોસિએશનનો સંગઠન અને સ્વયંસેવિક સામાજિક સંસ્થાઓ સર્વ ટીમ વર્કથી આ પદયાત્રાને સફળ બનાવવા અને રાષ્ટ્રીય એકતા ના પર્વ સમાન આ કાર્યક્રમમાં લોકો જોડાઈ તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ પદયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી અને જુનાગઢના મુક્તિ દિન તારીખ 9 નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર યુનિટી માર્ચ પદયાત્રા ની તૈયારીઓનો વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.9 નવેમ્બરના રોજ યોજાનાર યુનિટી માર્ચ પદયાત્રા બહાઉદીન કોલેજ થી સરદાર ચોક જીમખાના સુધી યોજનાર 8.6 કિલોમીટર પદયાત્રા રૂટનું નિરીક્ષણ
વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. રૂટ ઉપર રોશની, બહાઉદીન કોલેજ સહિતની સંલગ્ન ઐતિહાસિક ઇમારતોમાં પણ રોશની શણગારવામાં આવી છે તેમજ ઝાંસીની રાણી સર્કલ પર સ્વદેશી મેળાના સૂચિત આયોજન સાથે સુશોભન કરવામાં આવ્યું છે. તા.9 નવેમ્બરના રોજ સવારે 7:30 કલાકે કોલેજના મેદાનમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આરઝી હકુમત સ્મારક સ્તંભ ખાતે પૂજન અને બાદમાં સ્ટેજ કાર્યક્રમ અને ત્યાંથી મેદાનમાં તૈયાર કરાયેલ પ્રદર્શની અને બહાઉદીન કોલેજના ગેટ પાસેથી યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે.



