ભજન-ભોજન-ભક્તિ સાથે મેળામાં માનવ મહેરામણ
ભાવિકોનો પ્રવાહ ભવનાથ શિવરાત્રી મેળા તરફ વહેતો થયો
- Advertisement -
અન્નક્ષેત્રોનો લાભ લેતાં શ્રદ્ધાળુઓ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની છત્રછાયામાં ભવનાથ મહેદવને ધ્વજા ચડાવા સાથે ગઈકાલ મહાવદ નોમથી ભવનાથ ક્ષેત્રમાં મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ થતા શિવ ભક્તોએ ભવનાથ તરફ પ્રયાણ શરુ કર્યું છે જયારે મેળાની શરૂઆત થતા ભક્તિ ભોજન અને ભક્તિ સાથે મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અને જેમાં ગઈકાલ રાત્રીના શહેરીજનો ખુબ મોટી સંખ્યામાં મેળાની મજા માણવા પરીવાર સાથે ઉમટી પડ્યા હતા ત્યારે બીજા દિવસે પણ દૂર દૂરથી આવતા યાત્રિકો ભવનાથ તળેટીમાં ચાલતા મહા શિવરાત્રી મેળામાં શિવ ભક્તિ સાથે ભોળાનાથના દર્શન કરવા બોહળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
શિવરાત્રી મેળામાં દેશભરમાંથી નાગા સંન્યાસી સાધુઓ શિવ ભક્તિ સાથે ધૂણી ધખાવી દીધી છે અનેક રૂપમાં નાગા સાધુ જોવા મળી રહ્યા છે શિવને પામવા કઠોર તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે કોઈ કાંટાની પથારી કરીને તપસ્યા કરે છે તો કોઈ રુદ્રાક્ષ ધારણ કરીને શિવ ભક્તિ કરે છે.નાગા સાધુઓએ અખાડા પરંપરા મુજબ ધુણા શરુ કરીને ભભૂત લગાવી ભાવિકોને આશીર્વાદ આપતા હોઈ ત્યારે નાગા સન્યાસી સાધુના દર્શન કરવા દૂર દૂર થી ભાવીકો મેળામાં પધારી રહ્યા છે.
- Advertisement -
મહા શિવરાત્રી મેળામાં પ્રતિ વર્ષ 250થી વધુ અન્નક્ષેત્ર ચાલી રહ્યા છે ત્યારે ભાવિકો માટે શિવની પ્રસાદી રૂપે વિના મુલ્યે ભાવથી ભોજન કરાવી રહ્યા છે જેમાં અલગ અલગ અન્નક્ષેત્રો દ્વારા ભજીયા, ખીચડી, કઢી, દાળ ભાત, રોટલી સાથે મીઠાઈ બનાવી ભાવિકોને ભોજન કરાવે છે ત્યારે અન્નક્ષેત્રોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્રો ધમધમતા થતા સેવા કરવા માટે પણ અનેક સેવકો મેળામાં આવી પોહચ્યાં છે.જેમાં મહિલાઓની પણ અનેરી સેવા જોવા મળી હતી.સવાર સાંજ સતત અન્નક્ષેત્રો શરુ થતા લોકો પણ ખુબ મોટી સંખ્યમાં અન્નક્ષેત્રોમાં બનતા ભાવતા ભોજનનો પ્રસાદ સમજી લેવા માટે આવે છે.શિવરાત્રી મેળામાં બીજા દિવસે લાખોની સંખ્યા ઉમટી પડશે તેવો અંદાજ જોવા મળી રહ્યો છે અને ભાવિકોનો પ્રવાહ સતત મેળા તરફ જોવા મળી રહ્યો છે કોઈ રેલવે દ્વારા તો કોઈ એસટીમાં મુસાફરી સાથે પોતના વાહન દ્વારા મેળામાં ઉમટી પડ્યા છે.
મેળામાં સિનિયર સિટિઝનની વહારે આવી જૂનાગઢ પોલીસ
જૂનાગઢમાં ચાલતા મહા શિવરાત્રી મેળામાં અનેક એવા સિનિયર સીટીઝન અને વયો વૃદ્ધ લોકો ભવનાથ મહાદેવના દર્શન કરવા પધારે છે ત્યારે જૂનાગઢ એસપી હર્ષદ મેહતા દ્વારા પોલીસ પરિવારને ફરજ સાથે માનવીય અભીગમ અપનાવાની સૂચના આપતા ગઈકાલ અનેક વૃદ્ધ યાત્રીકો થાકી જતા તેની વહારે પોલીસ આવી હતી જેમાં એક વૃદ્ધાને એસઓજી પોલીસની કારમાં બેસાડી તેમને મૂકી આવ્યા હતા જયારે અનેક અશક્ત સીનીયર સીટીઝન ટ્રાફિકમાં ફસાઈ જતા તેને રસ્તો પસાર કરાવી યોગ્ય દિશા બતાવી હતી જયારે મેળામાં લાખોની સંખ્યમાં ભાવિકો પધારે છે ત્યારે પોલીસ પરીવાર અશક્ત વૃદ્ધોને સહારો આપીને તેની મદદ કરતી જોવા મળી હતી આવા માનવીય અભિગમ થી પોલીસે મે આઈ હેલ્પ-યુના સૂત્રને સાર્થક કર્યું છે.