દેશભરમાં હાલ ચર્ચાઈ રહ્યું છે કે 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જશે. સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કે આ વિષય પર ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું છે. હાલ બજારમાં 2 પ્રકારના 5 રૂપિયાના સિક્કા ચલણમાં છે એક પિત્તળનો અને બીજો જાડો ધાતુનો. ચર્ચા છે કે હવે સરકારે ધાતુના સિક્કાનું છાપકામ બંધ કરી દીધું છે ચાલો જાણીએ તેની પાછળનું કારણ.
દેશમાં સિક્કા કે ચલણી નોટના છાપકામનું કામ કેન્દ્ર સરકારની મંજૂરીથી થાય છે. સરકાર રિઝર્વ બેન્કને આદેશ આપે છે અને ત્યારબાદ RBI સિક્કા બનાવે છે. તેવી જ રીતે કોઈ પણ ચલણી નાણું બંધ કરવાનો નિર્ણય પણ સરકારનો હોય છે.
- Advertisement -
થઈ રહ્યું છે આર્થિક નુકસાન
જાડી ધાતુમાંથી બનેલા પાંચ રૂપિયાના સિક્કાને લઈને એક મોટી સમસ્યા એ છે કે આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. એક જાડા પાંચ રૂપિયાના સિક્કામાંથી 4-5 બ્લેડ બનાવી શકાય છે, જેનાથી સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણ છે કે સરકાર અને આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
1-20 રૂના સિક્કા ચલણમાં
- Advertisement -
હાલમાં ભારતમાં 1 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીના સિક્કા ચલણમાં છે. જો કે 30 રૂપિયા અને 50 રૂપિયાના સિક્કા ચલણમાં લાવવાના સમાચાર પણ આવતા રહે છે પરંતુ હાલમાં 5 રૂપિયાના જાડા સિક્કા પર પ્રતિબંધ આવવાને કારણે બજારમાં હલચલ મચી ગઈ છે.
સિક્કાનું છાપકામ બંધ
હાલમાં પિત્તળના બનેલા પાંચ રૂપિયાના સિક્કા જ મોટા ભાગે ચલણમાં છે. ભારે ધાતુના સિક્કાઓનું છાપકામ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે તે ભાગ્યે જ જોવા મળે છે.સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો પર કોઈ ખાસ અસર નહીં થાય, પરંતુ આ એક પગલું દેશની અર્થવ્યવસ્થાને મહત્વપૂર્ણ દિશામાં લઈ જવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.