આ બનાવ અંગે જામનગર પોલીસ દ્વારા આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવેલ હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર એડવોકેટ હારૂન પલેજાના ચકચારી ખુનના કેસમાં નામચીન રજાક સોપારીનો જામીન પર છુટકારો થયો છે. આ બનાવની વિગત એવી છે કે, ફરીયાદી નુરમહમદ ઓસમાણભાઈ પલેજા ધ્વારા (1) બસીર જુસબ સાઈચા (2) ઈમરાન નુરમામદ સાઈચા (3) રમઝાન સલીમ સાઈચા (4) સીકંદર નુરમામદ સાઈચા (5) રીઝવાન અસગર સાઈચા (6) જાબીર મહેમુદ સાઈચા (7) દીલાવર હુશેન કકલ (8) સુલેમાન હુશેન કકલ (9) ગુલામ જુસબ સાઈચા (10) એઝાજ ઉમર સાઈચા (11) અસગર જુસબ સાઈચા (12) મહેબુબ જુસબ સાઈચા (13) રજાક ઉર્ફે સોપારી (14) ઉમર ઓસમાણ ચમડીયા (15) શબ્બીર ઓસમાણ ચમડીયા વિરૂધ્ધ એવી ફરીયાદ લખાવેલી હતી કે, તા.13/3/24 ના રોજ તેના કાકા હારૂનભાઈ પલેજાને છરીઓ, ધોકા, પાઈપ, લોખંડના ગોળા વડે આડેધડ માર માર્યો હતો. આરોપીઓ હથીયારો લઈ ત્યાંથી ભાગી ગયેલ. હારુનભાઈને જી.જી. હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરેલ હતા.
- Advertisement -
આ હત્યા કેસમાં જામનગર સીટી બી-ડીવીઝન પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરેલ. ચાર્જશીટ બાદ કહેવાતા મુખ્ય કાવતરાખોર રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડાએ જામનગર સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. જે રદ થતા હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ. આરોપીના વકીલે દલીલ કરેલ કે, ગુજરનારને આ આરોપીએ કોઈ ઈજા પહોંચાડેલ નથી. કાવતરા અંગેના પંચનામાઓ ઉભા કરેલ છે. આરોપી બનાવ સ્થળે હાજર હોય તેવું પણ જણાય આવતું નથી. દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્વારા રજાક ઉર્ફે સોપારી દાઉદને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી વતી હાઈકોર્ટમાં એડવોકેટ વિરાટભાઈ પોપટ તથા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી રોકાયેલ હતા.