ફરિયાદી સહિત ચાર શખ્સો અને ત્રણ મહિલાઓ દ્વારા ASI સાથે ઝપાઝપી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
- Advertisement -
રાજ્યમાં પોલીસ વિભાગ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે લૂંટ, ચોરી, દુષ્કર્મ, મારામારી, ફાયરિંગ સહિતની ઘટનાઓ બનવા પામે છે જેના લીધે અહીંની પોલીસ પણ પોતે અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. જેમાં ચોટીલા પોલીસ મથકે માથાકૂટમાં ફરિયાદ કરવા આવેલ ફરિયાદી સહિત ચાર જેટલા ઈસમો અને ત્રણ મહિલાઓ દ્વારા હાજર અજઈં સાથે ઝપાઝપી કરી હોવાનો ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 14 મેના રોજ ચોટીલા પોલીસ મથકના પીએસઆઈ રામભા ધનરાજભા રાજૈયાને સરકારી હોસ્પિટલ ખાતેથી ટેલીફોનીક વર્ધી મળી હતી જેમાં કિરીટભાઈ જેન્તીભાઇ બુટિયાને સોમાભાઈ બહાદુરભાઈ મકવાણા તથા તેઓના પત્ની રેખાબેન મકવાણા દ્વારા માર માર્યો હોવાનું જણાવ્યું હતું જેથી ASI દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી ભોગવનાર કિરીટભાઇને પોલીસ મથક ખાતે લઈ આવી પૂછપરછ કરતાં હોય ત્યારે તેઓની સાથે આવેલા પ્રતાપભાઇ રણજીતભાઇ ઓવલિયા, દિલીપભાઈ વલ્લભભાઈ વાઘેલા, સુધીરભાઈ દિલીપભાઈ વાઘેલા તથા દિલીપભાઈ વાઘેલાના સબંધી ત્રણેક જેટલી મહિલાઓ દ્વારા ASI સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી પોલીસ પર આક્ષેપ કરાયા હતા અને તમામ ઈસમો દ્વારા ASI સાથે ઝપાઝપી કરી હતી જ્યારે ફરિયાદી કિરીટભાઇ પોતે નશાની હાલતમાં હોવાથી તેઓના વિરુધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરતા સાથે આવેલા દિલીપભાઈ વાઘેલા દ્વારા પોતાની જાતે દિવાલ સાથે માથું ભટકાડી ઈજા પહોંચાડી હતી જોકે અન્ય હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તમામને સમજાવી મામલો થાળે પડી બાદમાં ASI પર હુમલો કરવા અને ફરજ રૂકાવટ કરનાર કિરીટભાઇ જયંતીભાઈ બૂટિયા, પ્રતાપભાઇ રણજીતભાઇ ઓવલિયા, દિલીપભાઈ વલ્લભભાઈ વાઘેલા, સુધીરભાઈ દિલીપભાઈ વાઘેલા તથા દિલીપભાઈ વાઘેલાના સબંધી ત્રણેક જેટલી મહિલાઓ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.