લેખિકાને તેમના સાહસ અને નૈતિક સટિકતા સાથે સામાજિક પ્રતિબંધોને ઉજાગર કરવા માટે નવાઝવામાં આવ્યા
સાહિત્ય ક્ષેત્રના નોબેલ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી.સ્વિડનની રાજધાની સ્ટોકહોમમાં નોબલ પ્રાઇઝ સપ્તાહના ચોથા દિવસે સાહિત્યનાં નોબલ પ્રાઇઝનું એલાન કરવામાં આવ્યુ. આ વખતે ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને વર્ષ 2022નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ કમિટી અનુસાર, આ લેખિકાને તેમના સાહસ અને નૈતિક સટિકતા સાથે પોતાની યાદોના મૂળિયા ખોદીને, સામાજિક પ્રતિબંધોને ઉજાગર કરવા માટે નોબેલ માટે પસંદ કરવામાં આવ્યાં છે.
- Advertisement -
French writer Annie Ernaux awarded 2022 Nobel Prize in literature
Read @ANI Story | https://t.co/QwlsDHcaLh#NobelPrize #FrenchwriterAnnieErnaux #RoyalSwedishAcademy pic.twitter.com/I8FutKe0fj
— ANI Digital (@ani_digital) October 6, 2022
- Advertisement -
એની એનોક્સનો જન્મ 1 સપ્ટેમ્બર 1940નાં રોજ થયો હતો. તેઓ નોરમૈંડીનાં નાના શહેર યવેટોટમાં ભણેલા છે. એનીની માન્યતા છે કે લેખન એક રાજનીતિક કાર્ય છે, જે સામાજિક અસમાનતા માટે આપણી આંખો ખોલે છે. આ ઉદ્દેશ માટે તેઓ ભાષાનો ચાકૂનાં સ્વરૂપે ઉપયોગ કરે છે. એની લેખિકા સાથે સાહિત્યનાં પ્રોફેસર પણ છે. તેમનાં મોટા ભાગનાં લખાણ આત્મકથાઓ અને સમાજશાસ્ત્ર પર હોય છે.
ગત વર્ષે સાહિત્યનો નોબલ પુરસ્કાર તંઝાનિયામાં જન્મેલ બ્રિટિશ ઉપન્યાસકાર અબ્દુલરજાક ગુરનાહને મળ્યો હતો. તે 1986નાં પુરસ્કાર વિજેતા વોલે સોયેંકા પછી પુરસ્કાર જીતનાર બીજા અશ્વેત આફ્રીકી લેખક છે અને 1093નાં પુરસ્કાર વિજેતા ટોની મોરિસન પછી ચોથા અશ્વેત લેખક છે.