હાઇવે હક્ક સમિતિએ વાહનચાલકોનો અવાજ બની તંત્ર સામે વિરોધ
દૈનિક કલાકોના ટ્રાફિક જામ, જીવલેણ અકસ્માતો અને ગેરકાયદે વસૂલાતા ટૉલ સામેની લડાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇ-વે મુદ્દે અનેક રજૂઆત છતા પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે હાઇવે હક્ક સમિતિએ વાહનચાલકોનો અવાજ બની તંત્ર સામે વિરોધ શરૂ કર્યો છે. રોડ નહીં તો ટોલ નહીં તો ટોલ નહીંની માંગ સાથે જેતપુર હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેમજ રોજ કલાકોના ટ્રાફિક જામ, જીવલેણ અકસ્માતો અને બિનકાયદેસર વસૂલાતા ટોલ સામેની લડાઈ શરૂ કરવામાં આવી છે. આ ચક્કાજામ કાર્યક્રમમા સંજય અજુડીયા, ધરમભાઈ કાંબલિયા, રોહિતસિંહ રાજપુત, પ્રભાત ડાંગર, કનકસિંહ જાડેજા, માથુર માલવી, અજીત વાંક, હાર્દિક રાજપુત, અમિત ચૌધરી, કેતન તાળા, પ્રકાશ વેજપરા, યશ ભિંડોરા, રાજ શિંગાળા, પ્રશીલ રાજદેવ, રોનક રવૈયા સહિત આગેવાનો જોડાયા હતા. ચક્કાજામ કરતા આજીડેમ પોલીસની ટીમે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેના નિર્માણ કામગીરી શરૂ છે જે એક રીતે તો વિકાસ કાર્ય કહેવાય પરંતુ તંત્રની અણઆવડતને કારણે આ હાઇવે છેલ્લા એકાદ વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટી મુશ્કેલી બની ગયો છે. આ સમસ્યા મુદે કલેક્ટર તંત્ર, નેશનલ હાઇવે ઓથોરિટીની સક્રીયતાની કામગીરીની જાહેરાતો સામે વાસ્તવમા વાહનચાલકો રોજબરોજ હેરાન જ થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની જાહેરાત મુજબ ટ્રાફિક જામ સમસ્યા માટે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા છે પરંતુ તે માત્ર કાગળ પર જ કામગીરી હોય તેવું ચિત્ર ઊપજ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ગોંડલ વચ્ચે ઠેર ઠેર કિલોમીટરોના ટ્રાફિકજામના દ્રશ્ર્યો સામે આવી રહ્યા છે ત્યારે ખાસ તો તેમા એમ્બ્યુલન્સોમા રહેલા દર્દીઓની સ્થિતિ ખૂબ ગંભીર બને છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે.
- Advertisement -
આ સમિતિના મુખ્ય ક્ધવીનર રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે અમે વાહનચાલકોને પડતી મુશ્ર્કેલીઓ મામલે સબંધિત વિભાગોને રજૂઆત કરીને સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે પૂરતો સમય પણ આપ્યો છે તેમ છતાં હજુ સુધી વાહનચાલકોને પડતી હાલાકી મામલે યોગ્ય નિરાકરણ થયું નથી. નેશનલ હાઇવે ઓથોરિટી જો જામનગર-અમૃતસર ભારતમાલા હાઇવે પર બિસ્માર રસ્તાને લઈ ટોલ વસુલાત સ્થગિત કરે તો આ હાઇવે પર શા માટે ટોલ ટેક્સ ઉઘરાવામા આવી રહ્યો છે તેવા અનેક સવાલ કર્યા હતા. રાજકોટ-જેતપુર હાઇવે જેવો ગુજરાતમા એક પણ ખરાબ હાઇવેની સ્થિતિ નહીં હોય તેમ છતા ફોરલેન હાઇવેની વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાત સપૂર્ણ અયોગ્ય અને બિનકાયદેસર છે જેથી અમારી માંગ છે કે જ્યાં સુધી હાઇવેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી બંને ટોલપ્લાઝાઓ બંધ કરવા જોઇએ. અમે લોકોને હેરાનગત કરવા માટે ચક્કાજામ નથી કર્યો પરંતુ નિંદ્રાધીન તંત્ર અને સરકારને જગાડીને લોકોના હકની લડાઈ માટે રોડ પર ઉતર્યા છે અને હજુ આગામી સમયમા લડત ઉગ્ર બનશે.
સમિતિની માંગણી
100% કામ પૂરું થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ થાય અને વૈકલ્પિક રોડની સ્થિતિ યોગ્ય કરવામા આવે
જ્યા જ્યા ટ્રાફિક થાય ત્યા ટ્રાફિક પોલીસના પોઇન્ટ્સ અને ગઇંઅઈં મોનિટરિંગ ટીમ ગઠિત થાય.
નેશનલ હાઇવેના અધિકારીઓ,આ હાઇવે કામ કરતા કોન્ટ્રાક્ટર અને એજન્સીઓની જવાબદારી નક્કી કરીને દંડ અને કાયદાકીય પગલાં લેવામાં આવે.