અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા, હાલમાં RBIનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ એક મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, RBIની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં RBIનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે. અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા.
- Advertisement -
રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી 2023માં જોવા મળ્યો હતો. તે સમયે RBIએ 0.25 ટકાનો વધારો કર્યો હતો. RBIએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરોમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, RBI આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે, સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.
VIDEO | “After detailed deliberations on all relevant aspects, the Monetary Policy Committee unanimously decided to keep the policy repo rate unchanged at 6.5 per cent,” says RBI Governor Shaktikanta Das after RBI MPC meeting. pic.twitter.com/aWsXd1iKW0
— Press Trust of India (@PTI_News) August 10, 2023
- Advertisement -
RBI માટે સૌથી મોટી સમસ્યા કઈ ?
હકીકતમાં દેશમાં મોંઘવારી RBI માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઘણા પોલ્સ અને અંદાજો અનુસાર જુલાઇ મહિનામાં છૂટક ફુગાવો 6.5 ટકાથી 6.70 ટકાની વચ્ચે રહી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.25 ટકા હતો અને જૂન મહિનામાં તે વધીને 4.80 ટકા થયો હતો, જે આ વર્ષની સૌથી ઊંચી હોવાનું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં RBI આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર એ છે કે, આગામી મહિનાઓ માટે RBI દ્વારા કયા પ્રકારના અંદાજિત ફુગાવાના આંકડા રજૂ કરવામાં આવશે. કારણ કે રિઝર્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના આંકડા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.
VIDEO | “I am happy to note that the Indian economy is exuding enhanced strength and stability despite the massive shocks to the global economy in the recent years,” says RBI Governor Shaktikanta Das after RBI Monetary Policy Committee meeting. pic.twitter.com/CK8AvPqSG5
— Press Trust of India (@PTI_News) August 10, 2023
શાકભાજીના ભાવથી પણ મુશ્કેલી
જૂન મહિનામાં ઓછા વરસાદને કારણે અને તે પછી દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ અને અન્ય ભાગોમાં ખૂબ ઓછા વરસાદને કારણે દેશમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને ટામેટાંના ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર સૌથી વધુ ફટકો પડ્યો છે. આ જ કારણ છે કે જુલાઈમાં છૂટક મોંઘવારી ખૂબ ઊંચી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.