ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની કાવતરૂ કરવાના આરોપી નિખિલ ગુપ્તાની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલમાં જ અમેરિકાની એક અદાલતમાં પુરાવા આપવા તેમનો અનુરોધનો અસ્વીકાર કર્યો હતો. જ્યારે, હવે ચેક રિપબ્લિકની અદાલતથી મોટો ફટકો લાગ્યો છે. અદાલતે સાફ કહ્યું છે કે, ચેક રિપબ્લિક સરકાર ઇચ્છે તો આરોપી ભારતીય વ્યક્તિને અમેરિકાના હવાલે કરી શકે છે.
જૂનથી જેલમાં બંધ છે
નિખિલ ગુપ્તા પર અમેરિકાની સરકારના વકીલોને છેલ્લા વર્ષ નવેમ્બરમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાલિસ્તાની અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુને અમેરિકાની જમીન પર હત્યાનું નિષ્ફળ કાવતરુંમાં એક ભારતીય સરકારી કર્મચારીની સાથે મળીને કામ કરવાનો આરોપ લાગ્યો હતો. ખાલિસ્તાની પન્નુની પાસે અમેરિકા અને કેનેડાની બંન્ને નાગરિકતા છે. નિખિલે 30 જૂન, 2023ને ચેક ગણરાજ્યના પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ સમયે તેમને ત્યાં રાખવામાં આવ્યા હતા. અમેરિકન સરકાર તેમના અમેરિકા પ્રત્યાર્પણની માંગણી કરી રહી છે.
- Advertisement -
નિખિલ ગુપ્તા પ્રત્યાર્પણ રોકવા માટે સુપ્રિમ કોર્ટ જશે
આ કેસમાં ચેક રિપબ્લિક ક્યાં સુધીમાં નિર્ણય લેશે તે જોવાનું રહ્યું, ત્યાં સુધીમાં ગુપ્તા પોતાના પ્રત્યાર્પણ રોકવા માટે દરેક સંભવિત પ્રયત્ન કરશે. નિખિલ ગુપ્તા પાસે ચેક રિપબ્લિકની સુપ્રમિ કોર્ટ જવાનો રસ્તો ખુલ્લો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુપ્તાએ દલીલ કરી હતી કે, તેમની ખોટી ઓળખ કરવામાં આવી છે, તે એ વ્યક્તિ નથી, જેને અમેરિકા શોધી રહી છે. ગુપ્તાએ આ કેસને રાજનૈતિક ગણાવ્યો છે.
માનવાધિકારના ભંગનો આરોપ લાગ્યો
જણાવી દઇએ કે, ગુપતાના પરિવારે એકાંત જેલમાં ગંભીર માનવાધિકારોના ભંગનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, તેમને કાંસુલર એક્સેસના હેઠળ ભારતમાં પોતાના પરિવારથી સંપર્ક કરવાના અધિકાર અને કાયદાની મદદ લેવાની સ્વતંત્રતાથી પણ વંચિત કરવામાં આવ્યો છે. આના વચ્ચે આરોપોની તપાસ માટે ભારત પહેલા પણ એખ તપાસ સમિતિ બનાવી ચૂક્યું છે.