બાળકનું મોત થતાં પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ લગાવ્યો
હિરેન મશરૂ અને તેની નિહિત બેબીકેર હોસ્પિટલ અગાઉ ભૂતકાળમાં અનેક ફરિયાદો
- Advertisement -
બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા સમયે એક સાથે ચાર ઈન્જેકશન અપાયા, પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલમાં આઠ માસના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેને લઇ પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યેા છે. બાળકને ડેન્ગ્યુ થયો હોય અહીં સારવાર કરવામાં આવી હતી. બાદમાં રિપોર્ટ નેગેટીવ આપતા રજા આપતા સમયે નર્સે એકસાથે ચાર ઇન્જેકશન આપતા તેની તબિયત બગડી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોના આક્ષેપને લઈ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ શહેરના રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા ભંગારના ધંધાર્થી અલ્તાફભાઈ અંસારીના આઠ માસના પુત્ર આફતાબની તબિયત બગડતા તેને નિહિત બેબી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ રાત્રે અહીં બાળકનું મૃત્યુ થતા હોસ્પિટલ દ્રારા માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ કે.જી.ઝાલાએ જરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
- Advertisement -
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આઠ માસનો આફતાબ એક બહેનથી નાનો હતો પિતા અલ્તાફભાઈ અંસારી ભંગારનો ધંધો કરે છે. તેમણે જણાવ્યું હતું કે આતાબને 15 મીએ તાવ જેવું જણાતા દવા લીધી હતી. પછી આંચકી જેવું જણાતા નિહિત બેબી કેરમાં દેખાડવા લઈ ગયા હતા. ત્યાં રિપોર્ટ થતા ડેન્ગ્યુનું નિદાન થયું હતું. જેથી ડોકટરે દાખલ કરવાનું કહેતા અહીં દાખલ કર્યેા હતો.તા. 17મી એ ફરી રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ નેગેટિવ આવતા ડોકટરે રજા આપવાની વાત કરી હતી. તે પછી ગઈકાલે રજા આપતી વખતે દવા ઇન્જેકશન લખી દેવાયા હતા. જેથી હત્પં ચાર ઇન્જેકશન લઈને આવ્યો હતો. અહીં નર્સ દ્રારા બાળકને એક સાથે એક પછી એક ચારેય ઇન્જેકશન આપી દેવાયા હતા તે વખતે અલ્તાફભાઈના પત્નીએ કહ્યું હતું કે એક સાથે ચાર ઇન્જેકશન આપવાના છે કે કેમ? તે અંગે નર્સને પૂછતા કોઈ જવાબ દીધો ન હતો.
એક સાથે ચાર ઇન્જેકશન અપાયા બાદ બાળક ઊંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઈ ગઈ હતી અને રજા અપાતા પરિવાર ઘરે ગયો હતો. સાંજે બાળકની તબિયત ફરી બગડતા તેને ફરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. યાં તેનું મૃત્યુ થયું હતું જેથી આ બાબતે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું.
‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ નિહિત હોસ્પિટલ PMJAY યોજનામાંથી સસ્પેન્ડ થઈ હતી
તબીબી વ્યવસાય સેવા માટેનું ઉમદા માધ્યમ છે પરંતુ નફાખોર ડોક્ટરો તેને લોકોને અને સરકારને લૂંટવાનું સાધન બનાવી સામાન્ય દર્દીને ઓપરેશન, બેડ વગેરેનો તોતિંગ ચાર્જ પડાવી, રિપોર્ટમાં ચેડાં કરવા જેવી ગેરરીતિ આચરતા હોય છે. રાજકોટની નિહિત બેબીકેર નામની હોસ્પિટલે આયુષ્યમાન યોજના હેઠળ સામાન્ય બિમાર બાળદર્દીના જીવ સાથે ચેડાં કરી મોટી રકમના ક્લેમ મુકવા ખોટા રિપોર્ટ બનાવ્યા હોવાનો અહેવાલ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલોને આધારે તપાસ કરી આરોગ્ય તંત્ર દ્વારા ડો.હિરેન મશરૂને રૂ. 6,65,79,500નો તોતિંગ દંડ ફટકાર્યો હતો.
ડો.હિરેન મશરૂને રૂ. 6,65,79,500નો તોતિંગ દંડ પણ થયો હતો