By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    18 hours ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    20 hours ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    20 hours ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    2 days ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
    17 hours ago
    જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
    17 hours ago
    દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે, આરોગ્ય કટોકટી : એઈમ્સ
    18 hours ago
    રાજસ્થાનમાં કોલ્ડવેવ, 16 શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે
    18 hours ago
    આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી હિડમા બાદ વધુ 7 નક્સલી ઠાર મરાયા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    2 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    5 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    6 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    19 hours ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    2 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    5 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખીજડો: પવિત્ર પૂજ્ય અને છતાયે યોગ્ય રીતે ન ઓળખાયેલું ઔષધીય વૃક્ષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ખીજડો: પવિત્ર પૂજ્ય અને છતાયે યોગ્ય રીતે ન ઓળખાયેલું ઔષધીય વૃક્ષ
Authorમનીષ આચાર્ય

ખીજડો: પવિત્ર પૂજ્ય અને છતાયે યોગ્ય રીતે ન ઓળખાયેલું ઔષધીય વૃક્ષ

Khaskhabar Editor
Last updated: 2024/01/27 at 5:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
12 Min Read
SHARE

આપણે જેને ભૂત પ્રેતનો નિવાસ સમજી છીએ તેવા ખીજડા પાસે માનવ સ્વાસ્થ્યની જાળવણી અને ઉપચાર માટે અનેક ઔષધીય ક્ષમતાઓ છે

ભાગ્યે જ કોઈ એવું હશે જે ખીજડાના વૃક્ષથી પરિચિત નહી હોય. આ વૃક્ષના મૂળ 60 થી 80 ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેત જેવી, અંદરથી પીળી-ભુખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર 12 જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્પો થાય છે. ઝાડ પર ચોમાસામાં 4 થી 8 ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, ગામડાના બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહેવાય છે. શમડી, શમી વૃક્ષ અથવા ખીજડો એક જ વૃક્ષ છે, જે રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આપણા લોકજીવન સાથે વણાયેલા વડ, પીપળા લીમડા આસોપાલવ જેવા વૃક્ષોની જેમ જ ખીજડાથી આપણે કોઈ અજાણ નથી. જો કે આ તમામ અન્ય વ્રુક્ષો કરતા તેને ઘણું ઓછું પાણી જોઈએ છે અને તે ગમ્મે તેવી ગરમીમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવતું હોવા છતાં તેની સંખ્યા અન્ય વૃક્ષોથી ઘણી ઓછી છે. ભારતના અનેક સમુદાયોમાં તેની પૂજા થાય છે પરંતુ તેમાં ચોક્કસ પ્રકારના પ્રેતનો વાસ થતો હોવાની માન્યતાના કારણ ઘણા લોકો તેનાથી દૂર રહે છે. અંગ્રેજીમાં તેને પ્રોસેપીસ સીનેરેરિયા કહે છે. ભારત સિવાય તે બાંગ્લાદેશ પાકિસ્તાન ઈરાન ઈરાક ગલ્ફના બીજા દેશો, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના કેટલાક સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. આવા અનેક દેશોની સ્થાનિક ચિકિત્સા પદ્ધતિમાં આ વૃક્ષના લગભગ તમામ ભાગનો ઉપયોગ એક સફળ ઔષધ તરીકે સદીઓથી થાય છે. આરબ દેશો અને ભારતના રણ વિસ્તારના પ્રાચીન સાહિત્યમાં અસ્થમા, મરડો, કોઢ, રક્તપિત્ત,ભોજન પરત્વે અરુચિ તેમજ કાનના દુખાવાની સારવાર માટે તેનો ઉપયોગ અત્યંત સારા પરિણામ આપતા હોવાનો ઉલ્લેખ છે. ખીજડા અંગે અત્યંત રસપ્રદ છતાં સામાન્ય લોકોથી અજાણી એવી એક વાત એ છે કે પ્રોટીનનો તે અતી સમૃધ્ધ સ્ત્રોત છે, પરંતુ દુ:ખની વાત એ છે કે પ્રોટીન પ્રાપ્તિ માટેના પરંપરાગત સ્ત્રોત તરીકે તેના તરફ અત્યાર સુધી પૂરતું લક્ષ આપવામાં આવ્યું ન્હોતું. હાલમાં વિશ્વની પ્રતિષ્ઠીત રિસર્ચ લેબ આ વિષય પર કામ કરી રહી છે. આપણા ગ્રામ્ય વિસ્તારોના બાળકો દાયકાઓથી ખીજડાના ઝાડ પર ચડી રમતા રમતા તેના ફળ ખાઇ તંદુરસ્ત રહેતા હોય છે. ખીજડાના વિવિધ ભાગ ફાયટોકેમિકલ્સથી ભરપુર છે. ફાયતોકેમિકલ એટલે એવા તત્વો જે વનસ્પતિને વાતાવરણની વિષમતાઓમાં ટકી રહેવાની ક્ષમતા આપે છે. આમ આવી વનસ્પતિનું સેવન માણસને ખડતલ અને મજબૂત બનાવે છે. ખીજડાના આવા અનેક

- Advertisement -

ખીજડાના અનેક ગુણોથી વાકેફ સાઉદી અરેબિયાએ તેને રાષ્ટ્રીય વૃક્ષ જાહેર કરી ખીજડાનું વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે

1730માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરલી ગામમાં પર્યાવરણના રક્ષણ કાજે મોટા પાયે એક હિંસક અથડામણ સર્જાઈ

ગામની અમૃતાદેવી નામની એક મહિલા અને તેની ત્રણ ત્રણ દીકરીઓએ ખીજડાના વૃક્ષોની રક્ષા કરવા પોતાના જીવનનું બલિદાન આપી દીધું

- Advertisement -

ગુણોથી વાકેફ સાઉદી અરેબિયાએ તેને રાષ્ટ્રીય વૃક્ષ જાહેર કરી યોગ્ય સન્માન બક્ષ્યું છે. ત્યાં આ વૃક્ષ કાપવા પર પ્રતિબંધ છે. અહીંના સમૃધ્ધ શેખોના વિશાળ બંગલામાં ખીજડાના અનેક વૃક્ષો હોય છે. ખીજડાના વૃક્ષ ગમ્મે તેવી ગરમીમા પણ લીલા જ રહે છે. ન્યુનતમ પોષણ સાથે સમૃધ્ધ રીતે જીવંત રહેવાના પ્રાકૃતિક મિકેનીઝમનું ખીજડો શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગ્રીષ્મની ત્રાહિમામ ગરમીમાં રણ વિસ્તારમાં જાનવરો માટે તાપથી બચવાનો કોઈ સહારો નથી હોતો ત્યારે આ ઝાડ છાયા આપે છે. જ્યારે ખાવાને માટે કંઇ પણ નથી હોતું ત્યારે આ વૃક્ષ ચારો આપે છે, જેને લૂંગ કહેવામાં આવે છે. તેનાં ફૂલને મીંઝર કહેવામાં આવે છે. તેના ફળને સાંગરી કહેવામાં આવે છે, જેનું શાક પણ બનાવવામાં આવે છે. આ ફળ સુકાય જાય ત્યારે તેને ખોખા કહેવાય છે, જે સૂકા મેવા તરીકે વપરાય છે. આ વૃક્ષનું લાકડું અત્યંત મજબૂત હોય છે, જે ખેડૂતો માટે સળગાવવાના (જલાઉ) તથા ફર્નીચર બનાવવાના કામ આવે છે. તેનાં મૂળિયામાંથી હળ બનાવવામાં આવે છે.
દુષ્કાળના સમય વેળા નપાણીયા કે રણ વિસ્તારના લોકો અને જાનવરો માટે આ વૃક્ષ એક માત્ર સહારો હોય છે. ઈ.સ. 1899માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, (જેને છપ્પનિયો દુકાળ કહેવાય છે) તે સમયે રણ વિસ્તારના લોકો આ ઝાડની ડાળીઓની છાલ ખાઇને જિવિત રહ્યા હતા. આ ઝાડની નીચે અનાજનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં તેને ઘાફ તરીકે ઓળખવામાં આવે છે. યુએઈમાં નઝવાના રણને ખીજડાના અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવ્યું છે. આપના દેશમાં રાજસ્થાનનું તે અધિકૃત રાજ્ય વૃક્ષ છે. અહી તેને ખીજરી તરીકે ઓળખવામાં આવે છે. તેલંગાણામાં તે જમ્મી તરીકે ઓળખાય છે. ખીજડાની કેટલીક અદભૂત પ્રજાતિ બહરીનમાં જોવા મળે છે. બિલકુલ નહીંવત પાણીવાળા અહીંના વિસ્તારોમાં 400 વર્ષ જેટલા જૂના ખીજડાના અનેક ઝાડ છે. તેઓ ખીજડાના “ટ્રી ઓફ લાઇફ” કહે છે. 1730માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરલી ગામમાં પર્યાવરણના રક્ષણ કાજે મોટા પાયે એક હિંસક અથડામણ સર્જાઈ ગઈ. આ ગામની અમૃતાદેવી નામની એક મહિલા અને તેની ત્રણ ત્રણ દીકરીઓએ ખીજડાના વૃક્ષોની રક્ષા કરવા પોતાના જીવનનું બલિદાન આપી દીધું. મહારાજા અભયસિંહે તેમના નવા મહેલ માટે જગ્યા ઊભી કરવા આ વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો. જોવાનું એ છે કે તે સમયે પણ લોકોમાં એટલી જાગૃતિ હતી કે મહારાજના આ ફરમાનાનો પ્રજાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન વૃક્ષોને બચાવવા પ્રયાસ કરતા 363 લોકો માર્યા ગયા હતા. 1970ના દાયકામાં આ બલિદાનની સ્મૃતિથી પ્રેરિત ચિપકો આંદોલન શરૂ થયું.
આગળ કહ્યું તેમ આ વૃક્ષ ભારતીય સમાજમાં કાંઈક વિચિત્ર પ્રકારનું સ્ટેટસ ભોગવે છે. હિંદુઓ માટે તે પૂજનીય હોવા છતાં પીપળાની જેમ તેની નિયમિત પૂજા થતી નથી. કેટલાક લોકો આ વૃક્ષની નજદીક જતા પણ ડરે છે. કેટલાક સમુદાયમાં દશેરા ઉત્સવના ભાગ રૂપે તેની પૂજા કરવામાં આવે છે. દશેરા ઉત્સવના દસમા દિવસે દિવસ દરમિયાન આ વૃક્ષની પૂજા થાય છે. ભારતના અનેક પ્રદેશોમાં દશેરા ઉત્સવના ભાગરૂપે આ વૃક્ષ અને ભગવાન શ્રીરામના પવિત્ર પક્ષી જયને સાંકળી લેતી કેટલીક પરંપરાઓ છે. મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ દસમા દિવસની ધાર્મિક વિધિના ભાગરૂપે મરાઠાઓ આ ઝાડની ડાળી પર તીર ચલાવે છે. તીર ચલાવતા જે પાંદડા નીચે પડે તેને પોતાની પાઘડીમાં મૂકે છે. આ ઝાડ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે, દા.ત. મહારાષ્ટ્રમાં શમી, તેલંગાણામાં જમ્મી, ગુજરાતમાં તેને ખીજડો રાજસ્થાનમાં ખજેરી, હરિયાણામાં જેન્તી, અને પંજાબમાં જાંડ કહેવાય છે. કર્ણાટકમાં તે બાન્નીમાર તરીકે જાણીતું છે. વનવાસ દરમિયાન પાંડવોએ તેમના શસ્ત્રો ખીજડાના પોલાણ માં છુપાવ્યા હતા તેવી ત્યાં લોકવાયકા છે. કેટલાક અપ્રમાણિત સંદર્ભો પણ છે જે બાવળના ફેરુગિનીયાને ખીજડાના વૃક્ષ તરીકે પ્રસ્થાપિત કરે છે અને જે વિજય દશમીના દિવસે પૂજાય છે. તેમ છતાં, ઐતિહાસિક સંદર્ભો મુજબ પ્રોસોપિસ સિનેરેરિયા એ એક વૃક્ષ છે જેને બન્ની માર તરીકે ઓળખવામાં આવે છે. મૈસૂરમાં વિજય-દશમીના દિવસે તેની ખાસ પૂજા કરવામાં આવે છે. મહાભારતમાં પાંડવોએ વિરાટના રાજ્યમાં વેશમાં દેશનિકાલનો

ખીજડાની શીંગ પ્રોટીનનો અતી સમૃધ્ધ, અનન્ય સ્ત્રોત છે

ખીજડાના યોગ્ય ઉપયોગની સમજ સમગ્ર વિશ્ર્વમાં પશુઓના ચારાની સમસ્યાનો અંત લાવી શકે છે

તેરમો વર્ષ પસાર કર્યો હોવાનું મનાય છે. વિરાટ જતાં પહેલાં, તેઓએ એક વર્ષ સલામત રાખવા માટે આ વૃક્ષમાં તેમના અવકાશી શસ્ત્રો લટકાવ્યા હોવાનું મનાય છે. જ્યારે તેઓ એક વર્ષ પછી પાછા ફર્યા, ત્યારે તેઓએ તેમના શસ્ત્રો શમી ઝાડની ડાળીઓમાં સલામત મળ્યાં. શસ્ત્રો લેતા પહેલા, તેઓએ ઝાડની પૂજા કરી અને તેમના શસ્ત્રો સુરક્ષિત રાખવા બદલ આભાર માન્યો હતો તેવી એક કથા છે. દશેરાના દિવસે સાંજે રાવણ દહન પછી ખીજડાના પાંદડાં ચુંટીને ઘરે લઈ આવવાનો રિવાજ છે જેને સુવર્ણનું પ્રતીક માનવામાં આવે છે. લંકા વિજય પૂર્વે ભગવાન રામ દ્વારા ખીજડાના વૃક્ષના પૂજનનો પણ ઉલ્લેખ જોવા મળે છે.આ વૃક્ષના લાકડાંને યજ્ઞ માટેની સમિધ તરીકે પવિત્ર માનવામાં આવે છે. લગ્ન વિધિમાં પણ એનો વપરાશ થાય છે. વસંત ઋતુમાં સમિધ માટે આ વૃક્ષના લાકડાં કાપવા માટે વિશેષ વિધાન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અઠવાડિયાના દિવસો પૈકી શનિવારના દિવસે ખીજડા વૃક્ષના સમિધ લાવવાનું વિશેષ મહત્ત્વ છે .હવન-યજ્ઞામાં ખીજડાનું લાકડું પવિત્ર સમિધ તરીકે વપરાય છે. પવિત્ર-પૂજનીય વૃક્ષ હોવાની સાથે ખીજડો ઔષધિય ગુણોનો ભંડાર પણ છે. આયુર્વેદ પ્રમાણે ખીજડો સ્વા તૂરો, તીખો, કડવો અને મધુર, શીતલ, પચવામાં હળવો, રૂચિકર, કફ-પિત્તશામક તેમજ ત્વચાના રોગો, મગજની નબળાઈ, હરસ-મસા, દમ, ઉધરસ, અરૂચિ, ઝાડા, મરડો, થાક અને રક્તસ્ત્રાવને મટાડનાર છે. તેની ફળી કે શીંગો પિત્તકરનાર, તિક્ષ્ણ, સ્વાદિષ્ટ, પચવામાં ભારે, બુદ્ધિવર્ધક અને કેશનાશક છે. ખીજડાની ફળીઓમાં એક ચીકાશયુક્ત દ્રવ્ય તથા કેરોબીન, કેરોબોન અને કેરોબિક એસિડ રહેલા હોય છે. ફૂલોમાંથી પેટયુલિટ્રિન નામનું એક ફ્લેવોન ગ્લાઈકોસાઈડ મળી આવે છે તેમજ પાનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે તત્ત્વો વિપુલ માત્રામાં હોય છે. વૃક્ષ શાસ્ત્ર અનુસાર ખીજડાનું વૃક્ષ પણ તે તમામ વૃક્ષો અને છોડની સૂચિમાં આવે છે જે વાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને ઘરમાં હંમેશાં દેવી-દેવતાનો વાસ રહે છે. આ વૃક્ષમાં અગ્નિ તત્વ સમાયેલું છે. તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ઝાડ પાસેથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય તો તેને ઘરની બહાર ઇશાન ખૂણામાં ઉગાડો. ઇશાન ખૂણામાં ઊગાડશો તો તમારા ઘરમાં હંમેશાં હકારાત્મક ઊર્જા ફરતી રહેશે. અને ખીજડો તેનું ઉત્તમ ફળ તમને આપશે. ખીજડો ત્વચા વિકારોનું ઉત્તમ ઔષધ છે. જૂના હઠીલા ખરજવામાં તેના પાન ખૂબ જ સારું પરિણામ આપે છે. ખીજડાના તાજા પાન તોડી લાવી, ધોઈને બરાબર સ્વચ્છ કરી લેવા. દહીં સાથે આ પાન વાટીને લેપ તૈયાર કરી લેવો. સવાર-સાંજ આ લેપ ખરજવા પર લગાવી એક કલાક રહેવા દેવો. આ ઉપચારથી થોડા દિવસમાં જૂનું-હઠીલું ખરજવું પણ મટે છે. ખીજડાના પાન અતિસાર-ઝાડાને પણ મટાડે છે. ખીજડાના પાન તેની અંતર છાલ અને મરી સરખા વજને લાવી, ખાંડી તેનું ચૂર્ણ બનાવી લેવું. ઝાડા થયા હોય તેમને સવાર-સાંજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ પાણી સાથે આપવું. ઝાડામાં અવશ્ય લાભ થશે. ખીજડો મૂત્રકષ્ટ-મૂત્રસંબંધી તકલીફોનું અકસીર ઔષધ છે. મૂત્ર સંબંધી ફરિયાદોમાં ખીજડાના કુમળા તોરા લાવી, અડધો કપ જેટલા ગાયનાં દૂધમાં બરાબર વાટી લેવા. પછી દૂધને ઘોળીને તેમાં થોડી શેકેલા જીરાની ભૂકી અને સાકર મેળવીને રોજ સવારે પી જવું. થોડા દિવસમાં જ આ ઉપચારથી મૂત્ર સંબંધી દર્દોમાં રાહત જણાવા લાગશે. જેમને વારંવાર કસુવાવડ થઈ જતી હોય તે સ્ત્રીઓ માટે ખીજડાનું વૃક્ષ આશીર્વાદ સમાન છે. આવી તકલીફ હોય તે સ્ત્રીઓને રોજ ખીજડાના ફૂલનું શરબત બનાવીને ગર્ભાવસ્થાની શરૂઆતથી ત્રીજા મહિના સુધી આપતા રહેવાથી કસુવાવડનો ભય રહેતો નથી. ખીજડાના ફૂલ બરાબર સ્વચ્છ કરી, સમભાગ સાકર સાથે વાટી, તેનું શરબત બનાવીને પીવા આપવું. જેમને અવાર નવાર ગુમડા થતાં હોય અને જલદી પાકતા ન હોય તેમણે ખીજડાની જૂની શીંગોને વાટી, તેનો લેપ બનાવી, ગુમડા પર તેની લોપરી બાંધવી. એક દિવસમાં જ ગુમડું પાકીને ફૂટી જશે અને ફરીથી થશે નહીં.
તા. ક: ઉપચાર સંબંધિત પ્રયોગ તજજ્ઞ ચિકિત્સક ના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ જ કરવા

 

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

TAGGED: medicinaltree, Nettle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખુદમાં જે ખોવાઈ જવાના, સૃષ્ટિ માથે છવાઈ જવાના
Next Article જે ધર્મ તથા અર્થથી રહિત એવા પોતાના બળને જાણતો નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બાળકોને ઠંડીથી બચાવવા બ્રાન્ડી આપતા હો તો ચેતી જ્જો…

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 2753 બ્લોકમાં બેઠક વ્યવસ્થા
જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
હવે 7 ડિસેમ્બરે રાજકોટવાસીઓ સૂર્યકિરણ ટીમનો એર શૉ માણશે
જઝ ડેપોમાં ઈઈઝટ કેમેરાની માંગ: ‘અઅઙ’ કાર્યકરોએ સુવિધાઓ વધારવા વીડિયો વાયરલ કરી માંગ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?