મા અમૃતમ યોજના હેઠળ ચાલતી ડાયાલિસિસની સારવારના દરના ઘટાડાના વિરોધમાં ચાલી રહ્યું છે આંદોલન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા સરકારની ઙખઉંઅઢ યોજના હેઠળ ડાયાલિસિસ સારવારના ચુકવાતા દરમાં ઘટાડાના વિરોધમાં રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ અને ઙખઉંઅઢ યોજના સાથે સંકળાયેલા તમામ બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરો આંદોલન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત તા. 21 ઓગષ્ટના રોજ રાજયભરના નેફ્રોલોજીસ્ટ તબીબોનું પ્રતિનિધિ મંડળ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી તેમના પ્રશ્નની ગંભીરતા અને વાસ્તવિકતાથી અવગત કરાતા, પ્રશ્નનો ઉકેલ લાવવાની બાંહેધરી મળતા પ્રશ્નનો સુખદ અંત આવે તેવી સંભાવનાઓ સર્જાઇ છે. જે માટે તમામ તબીબો મુખ્યમંત્રીઉપરાંત ભાજપાના જે-તે વિસ્તારના નેતાઓ, હોદ્દેદારો અને મંત્રીઓ જેમણે તેમનો પ્રશ્ન ઉપર સુધી પહોંચાડવામાં મદદ કરી તે તમામનો આભાર વ્યકત કરે છે.
આ અંગે વિગતો આપતા ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન (જી.એન.એ.) જણાવે છે કે ગત સપ્તાહમાં તબીબો ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, મંત્રી મુકેશ પટેલ, લોકસભાના સભ્ય ડો. મહેન્દ્ર મુંજપરા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા તથા ભાજપના અન્ય અગ્રણીઓને મળીને પ્રશ્નની વિશેષ ચર્ચા કરી હતી. જેમાં તેમના તરફથી ખુબ સકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો.
જે અનુસાર આજે તા. 21 ઓગષ્ટને સોમવારના રોજ ગુજરાત નેફ્રોલોજી એસોસિએશનના 30થી વધુ સદસ્યો મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતે મળવા ગયા હતા. જયાં તબીબોએ પ્રશ્ન સવિસ્તાર સમજાવી તેની અસરો અને તેના દ્વારા કિડની ફેલ્યોર જેવી ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓની સારવારમાં નેફ્રોલોજીસ્ટ તબીબો અને બિન-સરકારી ડાયાલિસિસ સેન્ટરો કેવી રીતે જીવન રક્ષક કાર્ય કરે છે, તે અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ પણ આ પ્રશ્નને ગંભીરતાથી સમજીને તાત્કાલિક રીતે તેના ઉકેલ લાવવાની બાહેંધરીઆપીહતી.