જૈન વિઝન- વિશ્ર્વ વણિક સામાજિક સંગઠન વણિક સમાજ માટેનું ભક્તિભાવભર્યું આયોજન
સિઝન પાસ હોલ્ડરને તા.1નાં ડીજે વોર ગરબાનો પાસ વિનામૂલ્યે
નવનાત સાથે જોડાયેલા ત્રણ લાખ વધુ લોકો આ નવરાત્રી મહોત્સવના સહભાગી બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવલી નવરાત્રી ના દિવસોને હવે આંગળીનાં વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત સોનમ નવનાત વણિક ગરબા-2024માં સહભાગી થવા માટે વધુને વધુ યુવાધન જોડાઈ રહ્યું છે અને સીઝન પાસ માટે પડાપડી થઇ રહી છે. 150 ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે નયનરમ્ય મેદાનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય આ વખતે જોવા મળશે તેવો વિશ્વાસ આયોજકોએ વ્યક્ત કર્યો છે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે પરંતુ સોનમ નવનાત ગરબા સાથે જોડાયેલા યુવાધનની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને 11 દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે.જેની શરૂઆત મંગળવારે ડીજે વોરથી થશે અને અંત દશેરાના દિવસ થશે. આ રાસોત્સવને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંજ સમાચારના તંત્રી પ્રદીપભાઈ શાહ, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ વગેરેનું માર્ગદર્શન મળી રહ્યું છે. આ વખતે ખેલૈયાઓને જોશ ભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત અતા ખાન અને ફોક સિંગર તુષાર ત્રિવેદી , મ્યુઝીક એરેન્જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્કર કમ સિંગર ગાર્ગી નિમ્બાર્ક, ગીટારીસ્ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે તૈયારી કરી રહ્યા છે. આર્ટીસ્ટનું મેનેજમેન્ટ જીલ એન્ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.
આ નવરાત્રી મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે રમવા દેવામાં આવશે જયારે ભાઈઓ માટે ટોકન ફી રાખવામાં આવી છે. આયોજકો દ્વારા જે ફ્રી પાસ માટેની જાહેરાત કરવામાં આવી હતી તે મેળવવા માટે આજે છેલ્લો દિવસ છે. વધુમાં જે સીઝન પાસ લેશે તેને તા. 1લીએ આ જ ગ્રાઉન્ડમાં યોજાનારા ડીજે વોરના પાસ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે મધ્યસ્થ કાર્યાલય યાજ્ઞિક રોડ ઉપર રવિ પ્રકાશન પાસે સંપર્ક કરવા જણાવાયું છે.
આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો છે. ખાસ કરીને 100000 વોટ ની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રિ- લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે સ્કૂટર,બાઈક,સાઇકલ,ગોલ્ડ જ્વેલરી,ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઈલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલ નો અનુભવ થશે.સોનમ નવનાત વણિક નવરાત્રી મહોત્સવના ફોર્મનું વિતરણ મધ્યસ્થ કાર્યાલય દશા સોરઠીયા વણિક બોર્ડિંગ, રવિ પ્રકાશનની બાજુમાં યાજ્ઞિક રોડ ઉપરાંત જયેશભાઈ ધ્રુવ ધરતી હોન્ડાની સામે માલવીયા વાડી ગોંડલ રોડ, જેડીઝ આઈ કેર અમીન માર્ગ નુતન નગર પાસે,મહાવીર સિલેક્શન 2- કુદરત કોમ્પ્લેક્સ ગંગોત્રી ડેરી વાળી શેરી સાધુવાસવાણી રોડ, મેસવાણી લેબોરેટરી મંગલમ બિલ્ડીંગ 25 ન્યુ જાગનાથ એસ્ટ્રોન ચોક, મોનજીનીસ કેક શોપ કાલાવડ રોડ કોટેચા ચોક પાસે, પ્રફુલ એન્ડ બ્રધર જૈન ઉપાશ્રયની બાજુમાં કોઠારીયા નાકા, પ્રદીપભાઈ રામાણી અ-6 ટાગોર એપાર્ટમેન્ટ ટાગોર રોડ, રેમન્ડ શોરૂમ નક્ષત્ર હાઈટ્સ ગ્રાઉન્ડ ફ્લોર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે, અરિહંત શરાફી સહકારી મંડળી 204 અરિહંત બિઝનેસ સેન્ટર ગુંદાવાડી પોલીસ ચોકી પાસે કેનાલ રોડ, પાર્શ્વ ડેવલોપર્સ નવું કોસ્મો કોમ્પ્લેક્સ મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે, ટી પોસ્ટ રૈયા રોડ નાગરિક બેંકની બાજુમાં, જૈન સારીઝ દિવાનપરા મેઇન રોડ, શ્રીજી ઇલેક્ટ્રો વિઝન મનીષ કોમ્પલેક્ષ અક્ષરમાર્ગ ચિત્રકૂટ ધામ પાસે, ભારત ઓટો નીલકંઠ ટોકીઝ પાસે સોરઠીયાવાડી સર્કલ અને જ્યોત એમ્પોરિયમ તાજા વાલા સુપર માર્કેટ લાખાજીરાજ રોડ બાપુના બાવલા પાસેથી થઈ રહ્યું છે.આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસ્ભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગરબામાં કોણ કોણ જોડાશે
સોનમ નવનાત ગરબામાં દશા સોરઠીયા વણિક સમાજ, વિસા પોરવાડ વણિક સમાજ,મોઢ વણિક સમાજ, વિશા શ્રીમાળી સોની વણિક સમાજ, જૈન વણિક સમાજ, તંબોળી વણિક સમાજ, સુખડીયા વણિક સમાજ, કપોલ વણિક સમાજ, ખડાયતા વણિક સમાજ, પાંચાવણિક સમાજ, શ્રી ઘોઘારી દશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી દશા નાગર વૈષ્ણવ વણિક સમાજ, શ્રી કાટચી જૈન ગુર્જર વણિક સમાજ, શ્રી ખંભાત મોઢ વણિક સમાજ, શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી વણિક સમાજ, શ્રી હાલાર શ્રીમાળી વણિક સમાજ, શ્રી વિશા વાયડા વણિક સમાજ, વિસા ઓસવાળ જૈન વણિક સમાજ, દશા શ્રીમાળી જૈન શ્વેતાંબર તળપદા વણિક સમાજ, ઘોઘારી વિશા ઓસવાલ વણિક સમાજ, દશા શ્રીમાળી સુખડીયા વણિક સમાજ, જૈન વિશા શ્રીમાળી તળપદા વણિક સમાજ, ભાવસાર વણિક સમાજ, લોકા ગચ્છ જૈન વણિક સમાજ, દશા હુમડ દિગંબર જૈન વણિક સમાજ, દશા ઝોરાળા વણિક સમાજ, ઘોઘારી કપોળ વણિક સમાજ, ઘોઘારી દશા દિશાવળ વણિક સમાજ, વિશા શ્રીમાળી ઘોઘારી જૈન વણિક સમાજ, દશા શ્રીમાળી રાધનપરા વણિક સમાજ અને દશા ઘોઘારી વિશા પોરવાડ વણિક સમાજ સહીત કુલ 32 ફિરકાના યુવાનો જોડાશે.
- Advertisement -