બે દિવસનાં પરિસંવાદમાં દેશમાંથી 600 વૈજ્ઞાનિકો હાજર રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
આજીવિકા સુધારણા અને કૃષિ વિકાસ માટે વિસ્તરણ પ્રવૃત્તિઓના સહયોગાત્મક અભિગમો અંગેનો રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાત તા.24 જૂન 2022 અને તા.25 જૂન 2022 ના રોજ સોસાયટી ઑફ એક્સ્ટેંશન એજ્યુકેશન, ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે યોજાશે. જેમાં ભારતભરમાંથી 600 થી વધુ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ભાગ લેશે. આ પરિસંવાદમાં ભાગ લેનારાઓ પાસેથી માત્ર શ્રેષ્ઠ કૃતિઓ જ નહીં, પણ ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓને કૃષિ વિસ્તરણ નવા ક્ષેત્રો શોધવા અને સંશોધન હાથ ધરવા માટે કેટલીક નવી લીડ્સ, વિચારો અને આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે છ થીમ પર પ્રકાશ પાડવામાં આવશે. કૃષિ વિસ્તરણની નવી ટેકનીક અને સાધનો વિષે મહત્વની ચર્ચા થશે.
- Advertisement -
આ રાષ્ટ્રીય પરિસંવાદમાં 26 ફેકલ્ટી એવોર્ડ્સ, 16 ફાર્મર્સ એવોર્ડ્સ તથા 28 બેસ્ટ પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડ્સ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને આપવામાં આવશે.આ સેમીનારને સફળ બનાવવા કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો. ડો. નરેન્દ્રકુમાર ગોંટિયાનાં માર્ગદર્શન હેઠળ સંયોજક નરેન્દ્ર જાદવ અને યુનિવર્સીટીનાં અધિકારીઓ અને વૈજ્ઞાનિકો જહેમત ઉઠાવી રહ્યા છે.