– કોંગ્રેસે કહ્યું: આતંકવાદીઓ જેવું વર્તન
ED દ્વારા બુધવારે યંગ ઈન્ડિયન ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી. EDની આ કાર્યવાહીથી કોંગ્રેસ ગુસ્સે છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ આજે સંસદમાં અવાજ ઉઠાવવામાં આવશે.
- Advertisement -
બુધવારે EDએ દિલ્હીના હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી
નેશનલ હેરાલ્ડ કેસમાં ચાલી રહેલી EDની તપાસ હવે પૂછપરછ બાદ એક્શન સુધી પહોંચી ગઈ છે. મંગળવારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા બાદ બુધવારે EDએ દિલ્હીના હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી દીધી હતી. ઓફિસ સીલ થતાં જ દિલ્હીમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસ હેડક્વાર્ટરથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. EDની કાર્યવાહી બાદ કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર ડરાવવાનો આરોપ લગાવ્યો હતો.
दिल्ली: कांग्रेस की अंतरिम अध्यक्ष सोनिया गांधी के आवास 10 जनपथ के बाहर अतिरिक्त पुलिस बल की तैनाती की गई है। pic.twitter.com/fiGo153Ux2
- Advertisement -
— ANI_HindiNews (@AHindinews) August 3, 2022
કોંગ્રેસ આ મુદ્દે આજે સંસદમાં વિરોધ કરશે
કોંગ્રેસ હવે આ મુદ્દો ગુરુવારે પણ સંસદમાં અવાજ ઉઠાવવા જઈ રહી છે. બીજી તરફ, નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત અલગ-અલગ સ્થળો પર ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર હવાલા સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ED દ્વારા મંગળવારે પાડવામાં આવેલા દરોડામાં કેટલાક હવાલા કનેક્શન સામે આવ્યા છે. એકાઉન્ટ બુકની એન્ટ્રીમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. આ હવાલા એન્ટ્રીઓ કોલકાતા અને મુંબઈમાં મળી આવી છે.
મોંઘવારીના વિરોધમાં સરકાર ડરી ગઈ- કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસ ED અને પોલીસ પર ગુસ્સે છે. બુધવારે કોંગ્રેસે સૌથી પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને ED અને પોલીસની કાર્યવાહીની નિંદા કરી હતી. આ પત્રકાર પરિષદમાં જયરામ રમેશ, અજય માકન અને અભિષેક મનુ સિંઘવી હાજર હતા. ત્રણેયનો દાવો છે કે સરકાર ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.પણ તેઓ નમશે નહિ. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે ED 5 ઓગસ્ટે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી હોવાના ડરથી સરકારના ઈશારે કાર્યવાહી કરી રહી છે.
ED seals Young Indian office in Delhi's Herald House building
Read @ANI Story | https://t.co/zhU1Ni9tPO#EnforcementDirectorate #YoungIndian #NationalHeraldCase pic.twitter.com/gJ50juKPPT
— ANI Digital (@ani_digital) August 3, 2022
કોંગ્રેસ સંસદમાં સ્થગિત પ્રસ્તાવ લાવશે
જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ગુરુવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે સવારે 9.45 કલાકે કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની બેઠક બોલાવી છે. જેમાં કોંગ્રેસના તમામ રાજ્યસભા અને લોકસભા સાંસદોને બોલાવવામાં આવ્યા છે. જેમાં પાર્ટીની ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. બુધવારે થયેલી સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસ સંસદમાં સ્થગિત પ્રસ્તાવ લાવશે. દરમિયાન રાહુલ ગાંધી પણ કર્ણાટકથી દિલ્હી પરત ફર્યા છે.
રાહુલ ગાંધીને 50 અને સોનિયા ગાંધીની 12 કલાક પૂછપરછ કરાઈ
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની અલગ-અલગ દિવસે 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજી બાજુ સોનિયા ગાંધી સાથે 12 કલાક સવાલ-જવાબ થયા હતા. આ પછી EDએ મંગળવારે નેશનલ હેરાલ્ડ સહિત 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી, બુધવારે સાંજે લગભગ 5.15 વાગ્યે, દિલ્હીમાં યંગ ઇન્ડિયનની ઓફિસને ED દ્વારા સીલ કરવામાં આવી હતી.
दिल्ली: प्रवर्तन निदेशालय (ED) ने नेशनल हेराल्ड कार्यालय को सील करते हुए निर्देश दिया कि एजेंसी की अनुमति के बिना परिसर को नहीं खोला जाए। pic.twitter.com/SnkcBUvlTC
— ANI_HindiNews (@AHindinews) August 3, 2022
શું ED સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ધરપકડ કરશે ?
સવાલ એ ઊભો થયો કે જે રીતે EDએ સંજય રાઉત, પાર્થ ચેટર્જી, સત્યેન્દ્ર જૈનની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી, શું ED સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે આવું કોઈ પગલું ભરી શકે છે? આ આશંકા એટલા માટે હતી કારણ કે કોંગ્રેસ કાર્યાલય, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આના પર કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેઓ ઘેરાયેલા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ તો ત્યાં સુધી કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. હવે આ મામલો ફરી વેગ પકડતો જોવા મળી રહ્યો છે. એક તરફ તેના તારને હવાલા સાથે જોડવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવવા જઈ રહી છે.